________________
ઉપસર્ગને પરિષહ સહેતા, તે શ્રમણને ધન્ય છે. જે લડતા આ તર શત્રુ સાથે, તે શ્રમણને ધન્ય છે દ્વાદશવિધ તપને આરાધે તપસ્વીને ધન્ય છે એવા ગુણે કરી શોભતા, વંદન કરુ અણગાર ને...૧૩ જે સહે, સાધુ, સહાય કરતા, સાધુ ગણને ધન્ય છે કનક ઉપલ સમભાવ રાખે, એ વા નિગ્રંથને ધન્ય છે પાપો તણી જે ધૃણા કરતા, મહાઋષિને ધન્ય છે....એવા.૧૪ આહાર સંશા જીતવાને, વિગઈથી વેગળા થતા દેવો પણ જે ને નમે, એ વા સંયમને સાધતા અષ્ટમાતાની ગોદમાં, નિર્ભય પણે આલોટતા...એવા. ૧૫ સમતાભાવની પરમ ટોચે, બીરાજતા યોગેશ્વરો ઉપશમ રસમાં ઝીલતા, આનંદથી મુનીશ્વરો કષાયની તીન ચોકડીને, ટાળતા તે ઋષિવરો એવા.૧૬ ગૌતમ ધનો સ્કે ધક આદી, મહર્ષિઓ જે થઈ ગયા વર્તમાનમાં અઢીદ્વીપમાં હી, શ્રમણો જે વિચરી રહ્યા ભાવિમાં થશે મુનિ અનંતા , તારશે જીવ અનેકને એવા.૧૭ વરસે અનરાધાર મહેર જીનતણી પૂન્યતણા જો શથી પામી દુર્લભ દ્રવ્ય સંયમી પણું , મોહનીયના નાશથી અત્યંત દુર્લભ ભાવ ચારિત્રો મુજને, મળજો સહી આજથી પામુ યથાખ્યાત ચારિત્ર નિર્મલતયા, સિદ્ધ બનુ વેગથી...એવા.૧૮ પંચમ પદે આરૂઢ થયેલા ઋષીને કરુ ત્રિકાલે વંદના સરસ્વતી નંદન આનંદસાગર તમે, સાગર છો જ્ઞાનના મૂર્તિ જે સાક્ષાત આગમતણી, એવા શ્રી સાગરસૂરી તસ કૃપાપાત્રા માંગે જ્ઞાનગંગા,પ્રશસ્ત મિતાક્ષરી...એવા.૧૯
૯૪ For Personal Private Use Only
Jain Edomcelonal
www.jmichuan.org