________________
પરપરિવાદ
અત્યંત નિન્દાપાત્ર જે આ, લોકમાં'ય ગણાય છે, તે પાપ નિન્દા નામનું, તજનાર બહુ વખણાય છે, તજું કામ નક્કામું હવે આ, પારકી પંચાતનું. આ...૧૬ માયામૃષાવાદ
માયામૃષાવાદે ભરેલી, છે પ્રભુ મુજ જિંદગી, તે છોડવાનું બળ મને દે, હું કરું તુજ બંદગી, બનું ‘સાદિલ’ આ એક મારું, સ્વપ્ત છે આ જીવનનું.આ...૧૭ મિથ્યાત્વશલ્ય
સહુ પાપનું, સહુ કર્મનું, સહુ દુ:ખનું જે મૂલ છે, મિથ્યાત્વ ભૂંડું શૂલ છે, સમ્યક્ત્વ રૂડું ફૂલ છે, નિષ્પાપ બનવા હે પ્રભુજી ! શરણ ચાહું આપનું. આ...૧૮
જ્યાં પાપ જયારે એક પણ, તજવું અતિ મુશ્કેલ છે, તે ધન્ય છે જેઓ અઢારે, પાપથી વિરમેલ છે, ચાં પાપમય મુજ જિંદગી, ક્યાં પાપશૂન્ય મુનિજીવન, જો તુમ સમું પ્રભુ ! “હીર’” આપો તો કરું મુક્તિગમન.આ...૧૯
અઢાર પાપોમાં રહું, મુજ જિંદગી નિરાશ છે, “ગુણરત્ન” આ તુજ બાળને, તારીશ એ વિશ્વાસ છે. મુજ મન ભ્રમર ગુંજન કરે, સંયમ એ મુજ શ્વાસ છે, “મુનીશ” બનું તારી કૃપાથી, હૃદયની એ આશ છે. આ...૨૦
Jain Education International
८८
For Personal & Private Use Only
www.jainelibrary.org