________________
તે રાગથી કરવું પડયું, મારે ઘણા ભવમાં ભ્રમણ, મારે હવે કરવું હૃદયમાં, સ્થાન શાસનરાગનું. આ..૧૦
મેં દ્વેષ રાખ્યો દુ:ખ ઉપર તો સુખ મને છોડી ગયું, સુખદુઃખ પર સમભાવ રાખ્યો, તો હૃદયને સુખ થયું, સમજાય છે મુજને હવે, છે દ્વેષ કારણ દુ:ખનું. આ...૧૧
'કલહ .
જે સ્વજન-તન-ધન ઉપરની, મમતા ત્યજી સમતા ધરે, બસ, બારમો હોય ચન્દ્રમા, તેને કલહ સાથે ખરે, જિનવચનથી મઘમઘ થજો મુજ, આત્મના અણુએ અણુ. આ.૧૨
( અભ્યાખ્યાન જો પૂર્વભવમાં એક જૂઠું આળ આપ્યું શ્રમણને, સીતા સમી ઉત્તમ સ્ત્રીને, રખડપટ્ટી થઈ વને, ઇર્ષા તજું બનું વિશ્વવત્સલ, એક વાંછિત મનતણું . આ...૧૩
પશુન્ય, મારી કરે કોઈ ચાડી, ગલી, એ મને ન ગમે જરી, તેથી જ મેં આ જીવનમાં નથી કોઈ પણ ખટપટ કરી, ભવોભવ મને નડજો કદી ના, પાપ આ પૈશુન્યનું. આ...૧૪
રતિઅરતિ ક્ષણમાં રતિ ક્ષણમાં અરતિ; આ છે સ્વભાવ અનાદિનો, દુઃખમાં રતિ સુખમાં અરતિ, લાવી બનું સમતાભીનો, સંપૂર્ણ રતિ બસ મોક્ષમાં હું, સ્થાપવાને રણઝણું. આ...૧૫
( ૮૭
Jain Education inte
Personal
www.jainelibrary.org