________________
અઢાર પાપસ્થાનક સંવેદના સંયમ વંદનાવલી
પ્રાણાતિપાત
ડગલે અને પગલે સતત, હિંસા મને કરવી પડે, તે ધન્ય છે જેને અહિંસાપૂર્ણ જીવન સાંપડે, ચારે થશે કરુણાઝરણથી, આર્દ્ર મારું આંગણું. આ પાપમય સંસાર છોડી, શ્રમણ હું કયારે બનું ?...૧ મૃષાવાદ ક્યારેક ભય ક્યારેક લાલચ, ચિત્તને એવા નડે, વ્યવહારમાં વ્યાપારમાં જૂઠું, તરત કહેવું પડે, છે સત્ય મહાવ્રતધર શ્રમણનું, જીવનગૃહ રળિયામણું. આ...૨
અદત્તાદાન
જે માલિકે આપ્યા વગરનું, તણખલું પણ લે નહીં, વંદન હજારો વાર હો તે, શ્રમણને પળપળ મહીં, હું તો અદત્તાદાન માટે, ગામ પરગામે ભયું, આ...૩ મૈથુન જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ, એક પણ સોંપાય ના, મુજ આયખું આખું વીત્યું તે, ઇન્દ્રિયોના સાથમાં, લાગે હવે સ્થૂલિભદ્રતણું, સંસ્મરણ અતિ સોહામણું, આ...૪
Jain Education Internation
૮૫
&
jainelibrary.org