________________
અત્યંત નિર્ગુણ છું પ્રભો ! હું ક્રૂર છું હું દુષ્ટ છું, હિંસક અને પાપે ભરેલો સર્વ વાતે પૂર્ણ છું, વિણ આપ આલંબન પ્રભો ! ભવભીમસાગર સંચર, મુજ ભવભ્રમણની વાત જિનજી આપ વિણ કોને કરું ? ૨૬ મુજ નેત્રરૂપ ચકોરને તું ચંદ્રરૂપે સાંપડ્યો, તેથી જિનેશ્વર આજ હું આનંદ-ઉદધિમાં પડવો, જે ભાગ્યશાળી હાથમાં ચિંતામણિ આવી ચડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં જે તેમને નવિ સાંપડે ? ૨૭ હે નાથ! આ સંસારસાગર ડૂબતા એવા મને, મુક્તિપુરીમાં લઈ જવાને જહાજરૂપે જો તમે; શિવમણિના શુભસંગથી અભિરામ એવા હે પ્રભો, મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છો તમે નિત્યે વિભો. ૨૮ જે ભવ્ય જીવો આપને ભાવે નમે સ્તોત્રો સ્તવે, ને પુષ્પની માળા લઈને પ્રેમથી કંઠે હવે, તે ધન્ય છે કૃતપુણ્ય છે ચિંતામણિ તેને કરે, વાવ્યો પ્રભો નિજ કૃત્યથી સુરવૃક્ષને એણે ગૃહે.૨૯ હે નાથ ! નેત્રો મીંચીને ચલચિત્તની સ્થિરતા કરી, એકાંતમાં બેસી કરીને ધ્યાનમુદ્રાને ધરી, મુજ સર્વકર્મ વિનાશકારણ ચિંતવું જે જે સમે, તે તે સમે તુજ મૂર્તિ મનહર, માહરે ચિત્તો રમે. ૩૦ ઉત્કૃષ્ટ ભક્તિથી પ્રભો મેં અન્ય દેવોને સ્તવ્યા, પણ કોઈ રીતે મુક્તિસુખને આપનારા નવ થયા,
12
/
Jain Education
national
For PesoMaP&
vate Use Only
ટી ગy.org