________________
ભયભીત થઈ એ થી પ્રભુ તુમ ચરણ શરણું મેં ગ્રહ્યું, જગવીર દેવ બચાવજો મેં ધ્યાન તુમ ચિત્ત ધર્યું. ૨૦ કયારે પ્રભો નિજ દેહમાં પણ આપબુદ્ધિને તજી, શ્રદ્ધાજળ શુદ્ધિ કરેલ વિવેકને ચિત્ત સજી, સમ શરા મિત્ર વિષે બની ન્યારો થઈ પરભાવથી, રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભો આનંદથી. ૨૧ ગતદોષ ગુણભંડાર જિનજી દેવ મારે તું જ છે, સુરનરસભામાં વર્ણવ્યો જે ધર્મ માટે તે જ છે ; ઇમ જાણીને પણ દાસની મત આપ અવગણના કરો, આ નમ્ર મારી પ્રાર્થના સ્વામી તમે ચિત્ત ધરો. ૨૨ પડ્રવર્ગ મદનાદિક તણો જે જીતનારો વિશ્વને, અરિહંત ઉજજવલ ધ્યાનથી તેને પ્રભુ જીત્યો તમે ; અશક્ત તુમ પ્રત્યે હણે તમ દાસને નિર્દયપણે, એ શત્રુઓને જીતું એવું આત્મબળ આપો મને. ૨૩ સમર્થ છો સ્વામી તમે આ સર્વ જગને તારવા, ને મુજ સમા પાપી જનો ની દુર્ગતિને વારવા, આ ચરણ વળગ્યો પાંગળો તુમ દાસ દીન દુભાય છે , હે શરણ શું સિદ્ધિ વિષે સંકોચ મુજથી થાય છે ? ૨૪ તુમ પાદપા રમે પ્રભો નિત જે જનોનાં ચિત્તમાં, સુર ઈંદ્ર કે નરઈંદ્રની પણ એ જનોને શી તમા ? ત્રણ લોકની પણ લક્ષ્મી એને સહચરી પેઠે સહે, સદ્ગુણો ની સુગંધ એના આત્મમાંહે મહામહે. ૨૫
' ૨ For Personale
Jalina Edsatto
ale Use
ainelibrary.org