________________
શરણ્ય કરુણાસિંધુ જિનજી આપ બીજા ભક્તનાં, મહામોહવ્યાધિને હણો છો શુદ્ધ સેવાસક્તનાં; આનંદથી હું આપ આણા મસ્તકે નિત્યે વહું, તોયે કહો કુણ કારણે એ વ્યાધિનાં દુ:ખો સહું પ સંસારરૂપ મહાટવીના સાર્થવાહ પ્રભુ તમે, મુક્તિપુરી જાવા તણી ઇચ્છા અતિશય છે મને ; આશ્રય કર્યો તેથી પ્રભો ! તુજ તોય આંતર તસ્કરો, મુજ રત્નત્રીય લૂંટે વિભો રક્ષા કરો રક્ષા કરો. ૬ બહુ કાળ આ સંસારસાગરમાં પ્રભુ હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જિનેશ્વર તું મળ્યો; પણ પાપકર્મ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુયે કરી. ૭ આ કર્મરૂપ કુલાલ મિથ્યાજ્ઞાનરૂપી દંડથી, ભવચક્ર નિત્ય ભમાવતો દિલમાં દયા ધરતો નથી, કરી પાત્રો મુજને ૫ જ દુ:ખનો દાબી દાબીને ભરે, વિણ આપ આ સંસાર કુણ રક્ષા કહો એ થી કરે ? ૮ કયારે પ્રભો સંસારકારણ સર્વ મમતા છોડીને, આજ્ઞા પ્રમાણે આપની મન તત્ત્વજ્ઞાને જોડીને ; રમીશ આત્મ વિષે વિભો નિરપેક્ષવૃત્તિ થઈ સદા, તજીશ ઇચ્છા મુક્તિની પણ સંત થઈને હું કદા ? ૯
એ રાક્ષસોના રાક્ષસો છે ક્રૂર પ્લે ચ્છો એ જ છે, . એણે મને નિષ્ફરપણે બહુ વાર બહુ પીડેલ છે ;
૪
elibrary.org
Forpedban Private Use Only
Jain Educatisternational