________________
ક, રાજા કુમારપાળ આ આત્મનિંદા બત્રીશી
E
સર્વે સુરેન્દ્રોના નમેલા મુકુટ તેનાં જે મણિ, તેના પ્રકાશે ઝળહળે પદપીઠ જે તેનાં ધણી; આ વિશ્વનાં દુ:ખો બધાંયે છેદનારા હે પ્રભુ, જય જય થજો જગબંધુ તુમ એમ સર્વદા ઇચ્છું વિભુ . ૧ વીતરાગ હે કૃતકૃત્ય ભગવનું આપને શું વીનવું, હું મૂર્ખ છું મહારાજ જેથી શક્તિહીન છતાં સ્તવું; શું અર્થીવર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે, પણ પ્રભો ! પૂરી ભક્તિ પાસે યુક્તિઓ એ ના ઘટે . હે નાથ ! નિર્મલ થઈ વસ્યા છો આપ દૂર મુક્તિમાં, તોયે રહા ગુણ ઓપતા મુજ ચિત્તારૂપી શુક્તિમાં ; અતિ દૂર એવો સૂર્ય પણ શું આરસીના સંગથી, પ્રતિબિંબ રૂપે આવી અહીં ઉદ્યોતને કરતો નથી ? ૩ પ્રાણી તણાં પાપો ઘણાં ભેગા કરેલાં જે ભવે, ક્ષીણ થાય છે ક્ષણમાં બધાં તે આપને સારે સવે; અતિ ગાઢ અંધારાતણું પણ સૂર્ય પાસે શું ગજું, ઇમ જાણીને આનંદથી હું આપને નિત્યે ભજું. ૪
Jain Eccion International
For Aersonal Private Use Only
jaimelibrary.org