________________
---
વળી તીર્થના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે આ લક્ષ ચોરાશી તણાં ફેરા ફર્યા. ૨૧ ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને, દુર્જન તણાં વાચો મહીં શાંતિ મળે કચાંથી મને; તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળિયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી ? ૨૨ મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો કયાંથી થશે હૈ નાથજી; ભૂત ભાવિ ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. ૨૩ અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું ? હે દેવતાના પૂજય ! આ ચારિત્ર મુજ પોતા તણું; જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો મારું શું માત્ર આ, જ્યાં ક્રોડનો હિસાબ નહિ ત્યાં પાઇની તો વાત ક્યાં ? ૨૪ હારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ ! મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ, મુક્તિ મંગળસ્થાન તોય મુજને ઇચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગ્રત્ન ‘શ્યામ’ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી.૨૫
Jain Balion International
| :- અનુવાદક -: શામજીભાઈ માસ્તર (ભાવનગર)
For Person Pivate Use Only
www
www bay.org