________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પદસ્થ ધ્યાન
સહજનું આસન, શ્વાસ-ઉચ્છવાસનો ઘોડો, લયની લગામ, ચિત્તની ચાબૂક, આત્મા રૂપી ઘોડેસવાર અને આત્મજ્ઞાન – આત્માનુભૂતિ તે ગુરુ. આ છે આગળ વધવાનો માર્ગ. બીજી બધી આળ પંપાળ છોડો !
સહજનું આસન. સાધકને એક આસને કલાકો સુધી બેસવાની વિધિ - આસનસિદ્ધિ સિદ્ધ થઈ હોય છે.
આખી યાત્રા, આમ પણ, સહજને કિનારે જ ચાલે છે ને ! અસહજતા આવી ત્યાં ધ્યાન કેવું ! સ્થિરતા કેવી ! ને અસ્થિર મનમાં, ડહોળાયેલા મનમાં નિર્મળતા કેવી !
શ્વાસ-ઉચ્છવાસનો ઘોડો. શ્વાસ-ઉચ્છવાસ રિધમિકલી-લયબદ્ધ રીતે ચાલવા જોઈએ. - શ્રી મકરન્દ દવે “વિશ્વચેતનાના વણજારા' માં ગુર્જિએફે સાધેલી આ સાધનાની વાત વિગતે કરે છે ? | ગુર્જિએફના “વર્કશોપ” પર રાખ વળેલી જોઈને, ગુર્જિએફે જ્યાંથી અગ્નિ ચેતાવ્યો હતો એ મૂળ ગુરુઓને મળવાની ઝંખના એક વ્યક્તિમાં જાગી. તેનું નામ રાફેલ લેફર્ટ. તેણે પોતાની શોધયાત્રાનું પુસ્તક લખ્યું છેઃ “ટીચર્સ ઓફ ગુર્જિએફ.' જેમણે ગુર્જએફને શ્વાસ લેતાં શીખવ્યું હતું એ મુરશીદ શેખ હસન એફેન્ડીની મુલાકાતના અહેવાલનો અનુવાદ અહીં આપું છું:
જેરુસલેમ પાછા આવીને મેં ટૂરિસ્ટ વિભાગના પોલીસ મિત્રને શોધી કાઢ્યો અને શેખ હસનનો ક્યાં પત્તો મળે એમ પૂછ્યું.
“દરરોજ સવારે ઉંમર મસ્જિદમાં અને સાંજે હેરોડ દરવાજા પાસે આવેલી ‘ઝાવિયાહ હિન્દી' નામની સરાઈમાં મળે. પણ એક વાત કહી રાખું છું તમારા ઢગલાબંધ સવાલોના જવાબ આપવા બેસે એમાંનો એ માણસ
૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org