________________
// ધ્યાન અને કાયોત્સર્ગ |
[૨] પંચાચારમયી સાધના
, નવપદ પૂજામાં તપની વ્યાખ્યા બહુ સરસ રીતે અપાઈ છે : “તપ તે એહિ જ આતમાં, વરતે નિજ ગુણ ભોગે રે....'
તપ એટલે નિજગુણભોગ.
બાહ્યતપ અભ્યન્તરતપને પુષ્ટ કરશે. અભ્યત્તર તપની પાછળની ત્રિપદીમાં ત્રણ તત્ત્વો આવે છેસ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ.
સ્વાધ્યાય.
પોતાનો વાસ્તવિક પરિચય આપે તે સ્વાધ્યાય. ચપટી સુખ માટે વલખાં મારતા માનવીને જ્યારે સ્વાધ્યાય કહે કે એ આનન્દથી સભર વ્યક્તિત્વ છે, ત્યારે કેવો હરખ થાય ! વાહ હું જ આનન્દઘન!
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org