________________
ધ્યાન અને કાયોત્સર્ગ ♦ ‘તસ્સ ઉત્તરી’ સૂત્રની પાંચ પ્રક્રિયાઓ
હવે પાપો શી રીતે રહેશે ?
આધારશિલા જ છૂ થઈ ને !
નવા કર્મોનો બંધ નહિ થાય. (‘નિર્વિકલ્પ ઉપયોગમાં નવિ કર્મનો ચારો.’) સત્તામાં છે તે ક્ષીણ થયા કરે. ઉદયમાં આવે કર્મ, તોય સાધક એ ઉદયને જોશે, તેમાં ભળશે નહિ... અધ્યાત્મ ગીતા યાદ આવે : ‘ઉદય ઉદીરણા તે પણ પૂરવ નિર્જરા કાજ.’
સાક્ષીભાવની આધારશિલા પર પાપકર્મોનું દૂરીકરણ. કહો કે
વિફલીકરણ.
કેટલું સરસ આ ‘તસ્સ ઉત્તરી' સૂત્ર ! ઉત્તરીકરણ આદિ પાંચ ચરણોમાં ત્રણ વાતો આવી : શાંત મનની શુદ્ધિ, અવચેતન મનની શુદ્ધિ; અને એ બેઉને પરિણામે કર્મોનું દૂરીકરણ.
આવા હેતુથી સાધક કાયોત્સર્ગમાં સ્થિર થાય છે. (ઠામિ કાઉસ્સગં...)
કાયોત્સર્ગ સાધનાનો
મહિમા છે
નિરાળો.
અર્થશાસ્ત્રનું સૂત્ર છે : નાનકડો પ્રયત્ન,
મોટું પરિણામ.
મિનિમમ એફર્ટ, મેક્સિમમ રીઝલ્ટ.
લાગે કે અહીં તો, કાયોત્સર્ગ સાધનામાં,
પ્રયત્ન બહુ જ નાનકડો છે.
Jain Education International
૨૧૦
For Personal & Private Use Only
www.jainelibrary.org