________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ‘તસ્સ ઉત્તરી” સૂત્રની પાંચ પ્રક્રિયાઓ
—
—
સાધક માત્ર ઈર્યામય બનેલો હોય.
સાધક બેઠેલ છે. એ માત્ર દ્રષ્ટાની ભૂમિકામાં છે. યાદ આવે અધ્યાત્મોપનિષદ્ ઃ દ્રષ્ટાનું દર્શનની પળોમાં હોવું તે મુક્તિ, તે જ ધ્યાન.
ધ્યાનની મઝાની વ્યાખ્યા છે Being - હોવું. તમે અસ્તિત્વની ધારામાં જ હો.
પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ શ્રી કુંથુનાથ પરમાત્માની સ્તવનામાં કહે છે : “અસ્તિ સ્વભાવ જે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સમુખ વંદન કરીને, માંગીશ આતમ હેત...” પ્રભુની પાસે હું માંગીશ મારો અસ્તિત્વ રૂપ સ્વભાવ:
પોતાનું પોતાનામાં હોવું તે ધ્યાન.
શી રીતે આ ધારામાં જવું? - સ્વાધ્યાય, પ્રભુભક્તિ આદિ તત્ત્વો સાધકને ધ્યાનની ધારામાં મૂકે છે.
પ્રભુ ભક્તિની પળોમાં શું થાય છે? પ્રભુના ગુણોને જોતાં સાધક એ ગુણમાં ધીરે ધીરે ડૂબવાનું શરૂ કરે.
સ્વાધ્યાયની પળોમાં પણ સાધક પ્રભુના પવિત્ર શબ્દોની અપેક્ષા કરતાં કરતાં તે ગુણોમાં ડૂબે.
२. द्रष्टुटुंगात्मता मुक्ति-दृश्यैकात्म्यं भवभ्रमः ॥ -अध्यात्मोपनिषद्
૨૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org