SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • ‘તસ્સ ઉત્તરી” સૂત્રની પાંચ પ્રક્રિયાઓ — — સાધક માત્ર ઈર્યામય બનેલો હોય. સાધક બેઠેલ છે. એ માત્ર દ્રષ્ટાની ભૂમિકામાં છે. યાદ આવે અધ્યાત્મોપનિષદ્ ઃ દ્રષ્ટાનું દર્શનની પળોમાં હોવું તે મુક્તિ, તે જ ધ્યાન. ધ્યાનની મઝાની વ્યાખ્યા છે Being - હોવું. તમે અસ્તિત્વની ધારામાં જ હો. પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ શ્રી કુંથુનાથ પરમાત્માની સ્તવનામાં કહે છે : “અસ્તિ સ્વભાવ જે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સમુખ વંદન કરીને, માંગીશ આતમ હેત...” પ્રભુની પાસે હું માંગીશ મારો અસ્તિત્વ રૂપ સ્વભાવ: પોતાનું પોતાનામાં હોવું તે ધ્યાન. શી રીતે આ ધારામાં જવું? - સ્વાધ્યાય, પ્રભુભક્તિ આદિ તત્ત્વો સાધકને ધ્યાનની ધારામાં મૂકે છે. પ્રભુ ભક્તિની પળોમાં શું થાય છે? પ્રભુના ગુણોને જોતાં સાધક એ ગુણમાં ધીરે ધીરે ડૂબવાનું શરૂ કરે. સ્વાધ્યાયની પળોમાં પણ સાધક પ્રભુના પવિત્ર શબ્દોની અપેક્ષા કરતાં કરતાં તે ગુણોમાં ડૂબે. २. द्रष्टुटुंगात्मता मुक्ति-दृश्यैकात्म्यं भवभ्रमः ॥ -अध्यात्मोपनिषद् ૨૦૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy