________________
ધ્યાન અને કાયોત્સર્ગ • લોગસ્સ સૂત્રમાં આવતાં ધ્યાનો
પેલો કથાપ્રસંગ અહીં યાદ આવે : સંત પાસે યુવાન આવ્યો. તેણે કહ્યુંઃ ગુરુદેવ! મારે પ્રભુનાં દર્શન કરવા છે. આપ એની વિધિ બતાવો.
સંતે સરસ સૂત્ર આપ્યું: ‘તુમ મિટો તો મિલના હોય.” તું મિટી જા, ઓગળી જા, પ્રભુ તને મળી જશે. મિટો અને પામો. ચન્દનાજી મિટી ગયાં ને પ્રભુને પામી ગયાં. સાગર પર ગંભીરા.”
ધ્યાતા ધ્યેયમાં વિલીન થતો જાય. પેલું સૂત્ર સરસ છે : “ધ્યાતા મટીને બનવું રે ધ્યેય.”
રૂપાતીત ધ્યાનની પૂજ્ય ચિદાનંદજીએ કરેલી વ્યાખ્યા યાદ આવે : તાકું ધ્યાવત તિહાં સમાવે, રૂપાતીત ધ્યાન સો પાવે.”
- “સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ... સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો! પ્રાર્થનાનો મઝાનો લય.
ચૈત્યવંદન મહા ભાષ્ય (ગાથા : ૬૩૫) ની ગાથા એ રીતે ચાલે છે કે પ્રભુની ભક્તિથી આરોગ્ય-બોધિલાભ આદિ પ્રાર્થકોને મળે છે. સિદ્ધિની પ્રાર્થના માટે પણ આ જ લય છે.'
भतीए जिणवराणं, परमाए खीणपेज्जदोसाणं । आरोग्गबोहिलाभं समाहिमरणं च पावेंति ।। ६३५ ।।
T
૧૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org