________________
ધ્યાન અને કાયોત્સર્ગ ♦ લોગસ્સ સૂત્રમાં આવતાં ધ્યાનો
હવે આવે છે વર્ણધ્યાન.
‘ચંદેસુ નિમ્મલયરા..’ ચન્દ્રો કરતાં પણ વધુ નિર્મળ પરમાત્મા. આ વિશેષણ સિદ્ધ પરમાત્માનું છે. અહીં સાધક અર્હચેતનાના શુભ્ર વર્ણની કલ્પના કરે છે. ધારણા. સજેસન.
એકાગ્રતા માટે અહીં બે વિધિઓ છે.
પહેલી વિધિ : બંધ આંખોએ સાધક પ્રભુનું ધ્યાન કરે છે. શ્વેતવર્ણનું બિંદુ, ટપકું બંધ આંખો સામે દેખાય તો ચિત્તને એમાં એકાગ્ર કરવાનું.
બીજી વિધિ : શ્વેત વર્ણનું ટપકું ન દેખાય તો ચિત્તને પૂરેપૂરું ‘ચંદેસુ નિમ્મલયરા...' એ સાત અક્ષરો પર સ્થાપવું.
ચં...દે...એમ એક એક અક્ષર નો માનસ જાપ થાય ત્યારે ઉપયોગ એમાં જ રહે.
સફેદ રંગ- વર્ણનું ધ્યાન હોવાથી આ ધ્યાનને વર્ણધ્યાન કહ્યું. ‘આઈએસુ અહિયં પયાસયરા’ પદનું ધ્યાન લાલ રંગની પટ્ટી-સિદ્ધ ભગવંતોની રેખા-ના રૂપે કરવાનું છે.
અહીં પણ ઉપર પ્રમાણે બેઉં વિધિઓ અથવા એકાદ વિધિ દ્વારા એ પદના ધ્યાનમાં - વર્ણ ધ્યાનમાં જવાનું છે.
હવે આવે છે અનાલંબન ધ્યાન. અથવા તો કહો રૂપાતીત ધ્યાન. ‘સાગરવરગંભીરા...' અહીં વિભાવના એવી છે કે ધ્યાતાએ ધ્યેયમાં
ધીરે ધીરે ઓગળવું છે. ધ્યેય રૂપી સિદ્ધ પરમાત્મા. એ પરમચેતનાનો સમદંર. અને એમાં ધ્યાતાએ લીન બનવું છે, ઓગળવું છે.
એટલે અહીં પદનો જાપ ત્રણેકવા૨ કરીને સાધકે અંદર ચાલ્યા જવું છે.
૧૯૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org