________________
| ધ્યાન અને કાયોત્સર્ગ ||
[૧૫] કાયોત્સર્ગ-વિધિ : શુભથી
શુદ્ધ સુધીની યાત્રા અહોભાવપૂર્વકની વંદનાથી રૂપાતીત ધ્યાન સુધી લંબાતી કાયોત્સર્ગની વિધિ કેટલી તો મઝાની છે ! શુભથી શુદ્ધ ભણીની આ યાત્રા શુભને ઘુંટો, શુદ્ધને પામો.
પ્રભુચરણોમાં, ગુરુચરણોમાં વંદના કરવા ઉત્સુક ભક્ત કહે છે : હે પ્રભુ! (હે ગુરુદેવ!) હું આપને વંદના કરવા ઈચ્છું છું. (ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં...) અહોભાવના આ લયથી કાયોત્સર્ગ વિધિ શરૂ થાય છે.
એ પછી “ઈરિયાવહી' - ઈર્યાપથનું પ્રતિક્રમણ. રસ્તામાં જતાં-આવતાં કે સાધ્વાચાર સંબંધી દોષના પ્રાયશ્ચિત્ત રૂપે ઈર્યાપથ-પ્રતિક્રમણ થાય છે.
૧૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org