SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ♦ ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ પ્રશ્ન ઃ અહંવિસર્જનનો કોઈ રાજમાર્ગ છે ? ઉત્તર : મનને અહમને મારવાનું કહેવું એટલે ચોરને સિપાઈ બનાવવો? તે ચોરને પકડવાનો ડોળ કરશે પણ કંઈ કરશે નહિ. એને બદલે તમારે અન્તર્મુખ બનીને જોવું કે મન ક્યાંથી ઉદ્ભવે છે. એ જોશો તો એના અસ્તિત્વનો વિલય થયેલો જણાશે. શરણાગતિ અંગેના એક પ્રશ્નના ઉત્તરમાં રમણ મહર્ષિ કહે છે : શરણાગતિ સહેલી નથી. અહમૂવિસર્જન સરળ નથી. જ્યારે ઈશ્વર સ્વયં કૃપા કરી મનને અન્તર્મુખ બનાવે ત્યારે સંપૂર્ણ શરણાગતિ સિદ્ધ થાય. પણ આવી કૃપાના અધિકા૨ી તેઓ જ બને છે, જેમના આ અને આગળના જન્મ અહમ્-વિસર્જન કે મન મારવાની તૈયારી રૂપ સાધનામાંથી પસાર થયા હોય. પ્રશ્ન : જ્ઞાની આત્મસાક્ષાત્કાર કરે અને વિશ્વને પણ જુએ એમ કેમ બને ? એકી સાથે બે ઘોડા પર સવાર થઈ શકાય ? ઉત્તર : ‘જ્ઞાની રસ્તો જુએ છે, એના પર ચાલે છે, એનાં વિઘ્નો વટાવે છે’ આ તમે કહો છો. આ બધું તમારી દૃષ્ટિમાં છે કે એની દૃષ્ટિમાં ? જ્ઞાની તો કેવળ આત્મા જુએ છે. અને આત્મામાં જ સર્વસ્વ જુએ છે. આત્મરમણતા તે જ ધ્યાન એમ કલિકાલસર્વજ્ઞશ્રી કહે છે. (આત્મારામં मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता.. ) એકાગ્રચિત્તતા એ ધ્યાન; આ કક્ષાએ સ્વરૂપોન્મુખતા આવશે. સ્વરૂપ સ્થિતિ તે ધ્યાન; આ કક્ષાએ સ્વરૂપરમણતા આવશે. Jain Education International ૧૪૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy