________________
અભ્યાસ દ્વારા ઉપયોગ- Consciousness ની શુદ્ધતા વધતી જાય, જાગૃતિ તીર્ણ-તીક્ષ્ણતર બનતી જાય ત્યારે એક મંગળ ક્ષણ એવી આવે છે કે
જ્યારે નિબિડ ગ્રંથિનો ભેદ થઈ નિજનું નિર્દાત્ત દર્શન લાવે છે. સાધના ચાલુ જ રહે છે. અવશિષ્ટ આવરણોનો ક્ષય આ જ શસ્ત્રના સહારે કરતાં કરતાં મુમુક્ષુ મુક્તિની મંજિલે પહોંચે છે. જાગૃતિ સદાને માટે અવસ્થિત થઈ જાય એ જ કેવલ્ય છે. એવું થતાં પહેલાં અભ્યાસ કરવો પડે – શુદ્ધોપયોગમાં ટકી રહેવાનો અંતરંગ પુરુષાર્થ કરવો પડે. એ સાધના જૈનોમાં “કાયોત્સર્ગ' નામે ઓળખાય છે. '
મુક્તિનું આખરી પરિણામ આવતાં પૂર્વે પ્રારંભિક દશાના કાયોત્સર્ગના પણ બીજાં સુંદર પરિણામો આવવાં શરૂ થઈ જ જાય છે જે સાધકના જીવનને સ્વસ્થ-પ્રફુલ્લ સમૃદ્ધ બનાવે છે. કાયોત્સર્ગ નિર્યુક્તિ કહે છે :
देहमईजड्डुसुद्धी सुहदुक्खतितिक्खया अणुप्पेहा । झायइ य सुहं झाणं एगग्गो काउसग्गम्मिः ॥ (१४६२)
દેહ અને મતિની જડતા દૂર થાય, તિતિક્ષા વધે, અનુપ્રેક્ષા બળવાન બને, એકાગ્રતા અને ધ્યાનમાં પ્રગતિ - આ કાયોત્સર્ગનાં ફળ છે.
દેહની જડતા દૂર થતાં સ્કૂર્તિ અનુભવાય. શિથિલીકરણ સહજ બને.
મતિની જડતા મટતાં બાહ્ય સમસ્યાઓના નિરાકરણ સરળ બને. ગ્રહણશક્તિ-સમજશક્તિ વધે.
તિતિક્ષા એટલે સુખ-દુઃખથી અપ્રભાવિત રહેવાની ક્ષમતા. તિતિક્ષા કેળવાતાં નાનાં-મોટાં કષ્ટો આવી પડતાં માનસિક સમતુલા ખોરવાઈ જવાની સંભાવના ન રહે. ટેન્શન, ડિપ્રેશન કે પાગલપનની સ્થિતિ ઊભી થવા જ ન પામે.
અનુપ્રેક્ષા - તત્ત્વચિંતન જામતું જાય. ચિત્ત તત્ત્વભાવિત બનતાં ચિત્તધારાની ચંચળતા અને સંક્લેશ ઓછાં થતાં જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org