________________
ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ' નામના પ્રકરણમાં લેખક મોકળાશથી વરસ્યા છે, ખીલ્યા છે. વિકલ્પોથી વિરામ પામીને પરમાંથીપુદ્ગલમાંથી ખસવાનું છે. સ્વને શોધીને તેમાં વસવાનું છે. ચિત્તની એકાગ્રતા એ ધ્યાન છે એ ખૂબ વ્યવહારુ અને ગળે ઊતરે તેવી વાત છે. એ બતાવીને તરત સ્વગુણસ્થિતિ એ પણ ધ્યાન છે, આ વાત પણ બતાવવાનું લેખક ચૂક્યા નથી. બન્નેનું ધરાતલ તો નિર્વિકલ્પ અવસ્થા જ છે. વિકલ્પો મટ્યા એટલે ચિત્તનું આકાશ ચિદાકાશ બની ગયું. અને તે પછી જ આત્મદ્વાર પાસે પહોંચાય છે આવી ઘણી વાતો આ પુસ્તકમાંથી મળે છે. આપણે એનું વારંવાર વાંચન-મનન કરીને એવી પ્રેરણાનું બળ પ્રાપ્ત કરીએ, એ પથ ઉપર ચાલવાનું મન થાય અને આપણાં ડગલાં એ દિશા તરફ આગળ વધે એ જ ઇચ્છા મનમાં રમે છે.
.
વિ. સં. ૨૦૬૩
આસો સુદિ-૧ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન ઉપાશ્રય
કાંદીવલી-પૂર્વ, મુંબઈ.
Jain Education International
8
For Personal & Private Use Only
www.jainelibrary.org