SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ વડોદરાનાં જિનાલયો નીલાદિભિઃ, મૂળનાયક વર્ધમાનસ્વામી (મહાવીર) જિનબિંબ કારાપિત શ્રી સંઘસ્ય શુભમ્ ભવતુ.” દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૪૯માં આચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી સુરેશભાઈના હસ્તે કરવામાં આવી છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ વદ ૧૦ છે. તે નિમિત્તે પરંપરાગત ધ્વજારોપણ થાય છે તેમજ જમણવાર થાય છે. દેરાસરનો વહીવટ ટ્રસ્ટ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પરીખ, શ્રી જગદીશભાઈ શાહ, શ્રી જયેન્દ્રભાઈ શાહ છે. આ જિનાલયનો સમય સંવત ૨૦૪૯નો છે. (દદ) શ્રી આદિનાથ જિનાલય ૨૪, રાધિકા હાઉસીગ સોસાયટી, સૈયદ વાસણા રોડ. ' ' સૈયદ વાસણા રોડ પર, રાધિકા હાઉસીંગ સોસાયટીમાં ૨૪ નંબરમાં શિખરયુકત દેરાસર આવેલું છે. જિનાલયને મુખ્ય એક પ્રવેશદ્વાર છે. એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૩૧" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. દેરાસરની બાજુમાં દેરીમાં શ્રી માણિભદ્રવીરની ૭૧" ની પ્રતિમા બિરાજમાન છે. દેરાસરનો જીર્ણોદ્ધાર વિ. સં. ૨૦૦૮માં કરવામાં આવેલ છે. આ અગાઉ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ધાતુ પ્રતિમા લાવી પરોણાગત રાખવામાં આવ્યા હતા. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૩ છે. તે નિમિત્તે ધ્વજારોપણ મહોત્સવ થાય છે. દેરાસરની બાજુમાં ગુરુમંદિર છે જેમાં વચ્ચે આ. શ્રી કસ્તૂરસૂરીશ્વરજી મ. સા. ની, જમણી બાજુ પ. પૂ. મૂલચંદજી મહારાજ તથા ડાબી બાજુ આ. શ્રી કમલસૂરીશ્વરજી મ. સા. ની પ્રતિમા છે. આ પ્રતિમાઓની પ્રતિષ્ઠા પૂ. આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશથી સ્વ. પિતાશ્રી શેઠ છોટાલાલ ઉત્તમચંદ તથા સ્વ. માતૃ શ્રી મેનાબેનના સ્મરણાર્થે તેમના સુપુત્રોવડે વિ. સં. ૨૦૧૫માં મહા સુદ ૧૦ ને બુધવારે કરવામાં આવી છે. દેરાસરનો વહીવટ શ્રી માણિભદ્ર જૈન મંદિર ટ્રસ્ટ હસ્તક છે. દેરાસરનાં ટ્રસ્ટી શ્રી વી. ડી. શાહ, મીરાબેન વી. શાહ, અને શ્રી રમણભાઈ છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy