________________
૮૦
વડોદરાનાં જિનાલયો
દેરાસરમાં છત ઉપર વિશાળ ભાગમાં સુંદર મીના કારીગરીનું કામ છે. મૂળનાયક ભગવાનની પાછળ પણ દિવાલ પર ચામર ઢાળતી સ્ત્રીઓમાં મીનાકામની સુંદર કારીગરી કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રી ગૌતમસ્વામી વિલાપ, ધ્યાનસ્થ શ્રી મહાવીરસ્વામી, શ્રી મહાવીરસ્વામી ભગવાનને ખેડૂતનો ઉપસર્ગ, શ્રી ઋષભદેવને શ્રેયાંસંકુમાર દ્વારા પારણાં કરાવ્યાનો પ્રસંગ, ચંદનબાળા દ્વારા શ્રી મહાવીરસ્વામી ભગવાનને વહોરાવવાના પ્રસંગોનાં ચિત્રકામ મનોહર કાચકામમાં ઉપસાવેલા છે.
શ્રી શત્રુંજય તીર્થ, શ્રી સમેતશિખર તીર્થ, શ્રી અષ્ટાપદ તીર્થ, શ્રી ગિરનાર તીર્થનાં પટ દિવાલ ઉપર પત્થર વડે ઉપસાવેલ છે. શ્રી સમેતશિખર તીર્થ, શ્રી રાજગિરિ, શ્રી પાવાપુરીનાં દશ્યો કાચ ઉપર સુંદર રીતે દર્શાવ્યા છે.
મધ્યમાં શિખર અને આજુબાજુ ઘુમ્મટયુક્ત તોરણવાળી આરસની છત્રીમાં મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામી ભગવાનની ૨૧" ની પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમા પર વિ. સં. ૨૦૩૫માં ભરાવ્યાનું લખાણ છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની ડાબી તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને જમણી તરફ શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. સંવત ૨૦૪૧માં દેરાસરની પ્રતિષ્ઠા કરાવવામાં આવેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ શ્રાવણ સુદ ૧૩ છે. તે નિમિત્તે ચઢાવો બોલી ધ્વજારોપણ થાય છે તેમજ ત્રણ દિવસના મહોત્સવમાં શ્રી સિદ્ધચક્ર પૂજન ભણાવાય છે, જમણવાર થાય છે.
દેરાસરનો વહીવટ શ્રી વાસુપૂજયસ્વામી ગૃહચૈત્ય સમિતિ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી શ્રી જિતુભાઈ વૈદ્ય, શ્રી કિરીટભાઈ શાહ, શ્રી અરવિંદભાઈ પરીખ છે.
આ જિનાલયનો સમય સંવત ૨૦૪૧નો છે.
(૬૪) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ગૃહ ચૈત્ય (સંવત ૨૦૪૭)
પર, વિહાર સોસાયટી, ઋષભ પ્રોડકટીવીટી રોડ. આકોટા સ્ટેડીયમ સામે, ઋષભ પ્રોડકટીવીટી રોડ પર, વિહાર સોસાયટીના, પર નંબરના બંગલામાં ગીરીશભાઈ બી. શાહના ઘરમાં ઘરદેરાસર આવેલ છે. જિનાલય ધાબાબંધી છે.
એક નાના રૂમમાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૯" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. શ્રી પદ્માવતી દેવીની ધાતુ મૂર્તિ છે. શ્રી શત્રુંજય તીર્થના પટનો એક ફોટો છે.
દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૪૭ના મહાવદ ૫ ને તા. ૩-૨-૧૯૯૧ના રોજ કરવામાં આવી હતી.