________________
૭૮
વડોદરાનાં જિનાલયો
- શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે.
“સ્વસ્તિ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જિનબિંબ વંથલી વર્તમાન વડોદરા વા. મહેતા ડાહ્યાભાઈ પત્ની હરકુંવર શ્રાવિક્યા તથા લાખાપાદર વર્તમાન વડોદરા વા. રસીલાબેન ચીમનલાલ હીરાચંદ પુત્ર બીપીનચંદ્ર શ્રાદ્ધન બંધુ લલિતકુમાર મહેશકુમાર પત્ની આશાબેન બંધુપત્ની સ્મિતા નિજ પુત્ર નિશાંત કપિલ બંધુપુત્ર પરાગ, પુત્રી કાજલ, દિશમાણી પરિવાર સુતયા કા.પ્ર.ચ શાસન સમ્રાટ તપા. આચાર્ય શ્રી વિજય નેમિવિજ્ઞાન કસ્તૂરસૂરીશ્વરઃ રાજસ્થાને શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જિન ચૈત્ય જીર્ણોદ્ધાર સંપન્ન નવશત વર્ષાન્તરે વિ. સં. ૨૦૩૭ વર્ષે વૈશાખ શુકલ સપ્તમ્યાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જિન બિબા તુ સર્વ બિંબાજનશલાકા પ્રતિષ્ઠા કારકાચાર્ય વિજય ચંદ્રોદયસૂરિભિ શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરઃ ૫. ડ્રીંકારચંદ્ર વિ. પં.
સ્થૂલિભદ્ર વિ. ૫. પુષ્પચંદ્ર વિ. પં. સોમચંદ્ર વિ. પ્ર. મુનિ કલ્યાણચંદ્ર વિ. પ્ર, મુનિ કુશલચંદ્ર વિજયાદિ સાધુ-સાધ્વી પરિવાર યુનૈઃ વિ. સં. ૨૦૫૧, વિ. સં. ૨૫૨૧ નેમિ સં. ૪૬ વર્ષે માંદ્ય ધવલ પંચમ્યા શનિવાસરે મુનિ રવિચંદ્રવિજયોપદેશેન વડોદરા રૂપનગર અલકાપુરી જૈન શ્રી સંઘ કારિતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રાસાદ પ્રાણપ્રતિષ્ઠાવસરે મુનિ અમરસેન નિર્મલકુલ ચંદ્ર વિજયે........”
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૬ના રોજ આવે છે. તે નિમિત્તે દર વર્ષે નયનાબેન રમેશભાઈ પરિવાર દ્વારા ધ્વજારોપણ થાય છે તેમજ જમણવાર થાય છે.
દેરાસરમાં કારતક સુદ પુનમે શ્રી શત્રુંજય મહાતીર્થનો કાપડનો પટ બંધાય છે. દર્શનાર્થીઓને ભાતુ આપવામાં આવે છે.
દેરાસરનો વહીવટ શ્રી અલકાપુરી જૈન છે. મૂ. પૂ. સંધ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી શ્રી ભોગીલાલ શાહ, શ્રી ડાહ્યાલાલ શાહ, શ્રી સુમન્તભાઈ શાહ છે.
અહીં સાધુ-સાધ્વી વિહારમાં સ્થિરતા કરીને સંઘને લાભ આપે છે. આ જિનાલયનો સમય સંવત ૨૦૫૧નો છે.
(૬૧) શ્રી નેમિનાથ ભગવાન ગૃહ ચૈત્ય (સંવત ૨૦૪૮)
પ/૬, મહાવીરધામ સોસાયટી, હરણી એરોડ્રામ સામે. હરણી એરોડ્રામ સામે, પદ, મહાવીરધામ સોસાયટીમાં શ્રી પ્રવીણચંદ્ર નાથાલાલ દલાલના ઘરમાં ઘરદેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વારવાળા નાના ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ૯" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં ૩ પાષાણ પ્રતિમાઓ અને ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
ધાતુના શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે.