SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો (૫૭) શ્રી સુમતિનાથ ગૃહ ચૈત્ય (સંવત ૨૦૪૮) ૨, ચેતન સોસાયટી, આકોટા. આકોટા રોડ પર, પોલીસ લાઈનની બાજુમાં, ચેતન સોસાયટીના, ૨ નંબરના બંગલામાં, ત્રીજે માળે પ્રસ્તુત ઘરદેરાસર આવેલું છે. દેરાસરનો વિસ્તાર ઘરદેરાસરના પ્રમાણમાં મોટો છે. જયાં ફોટાના રૂપમાં શ્રી શત્રુંજય તીર્થ, શ્રી ગિરનાર તીર્થનો નાનો પટ અને શ્રી સમવસરણનાં પટ છે. આરસના પબાસન પર કમળમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની ૧૧"ની પ્રતિમા બિરાજમાન છે. અહીં ર ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. ભગવાનની પાછળ દિવાલ પર ચૌદ સ્વપ્ન અને અષ્ટ પ્રાતિહાર્ય સુંદર સોનેરી રંગથી ચિત્રિત કરીને કાચથી મઢેલ છે. ત્રણ નાના ઘુમ્મટ અને આરસનું તોરણ છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા ખંભાતથી લાવીને અહીં બિરાજમાન કરેલ છે. મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે. સંવત ૧૯૬૭ વર્ષે જેઠ સુદી પ સોમે ઓસવાલ જ્ઞાતીય. . . . . ભાર્યા બાઈ મરવાહી પુત્ર જયવંત ભાર્યાકી બાઈ શ્રીવંત ભાર્યા નેનાય કારાપિત પ્રતિષ્ઠિત વિજય દાનસૂરી . . . કલ્યાણ સુજસ. ” દેરાસરનું સ્થાપના વર્ષ વિ. સં. ૨૦૪૮ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ વદ ૧૦ છે. તે નિમિત્તે શ્રી હિંમતલાલ બી. શાહ પરિવાર દ્વારા ધ્વજારોપણ થાય છે. તેમજ અઢાર અભિષેક તથા સત્તરભેદી પૂજા ભણાવાય છે. દેરાસરનો વહીવટ મકાન માલિક શ્રી હિંમતલાલ બી. શાહ હસ્તક છે. આ જિનાલયનો સમય સંવત ૨૦૪૮નો છે. (૫૮) શ્રી આદીશ્વર ગૃહ ચૈત્ય (સંવત ૨૦૩૫) ૬, “શ્રમદા, સંપતરાય કોલોની, અલકાપુરી. અલકાપુરી, સંપતરાય કોલોનીના ૬ નંબરના “શ્રમદા બંગલાના ચોગાનમાં એક ઓરડામાં આ દેરાસર આવેલું છે. દરવાજામાં પ્રવેશતાં જ બે બાજુ બે હાથીની શિલ્પાકૃતિ છે. દરવાજા ઉપર ભગવાનને ખોળામાં લઈ અભિષેક કરતાં ઈન્દ્રની શિલ્પાકૃતિ છે. વળી ઇન્દ્ર-ઇન્દ્રાણી ચામર ઢાળતાં અને સૂર્ય-ચંદ્રના વિમાનની રચના કરવામાં આવી છે. આરસની ઓટલી પર મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૭" ની પ્રતિમા બિરાજમાન
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy