SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૭૩ (૫૬) શ્રી શીતળનાથસ્વામી જિનાલય (સંવત ૧૯૬૩ પૂર્વે) ઉત્તમચંદ ઝવેરીની પોળ, પાણીગેટ રોડ. પાણીગેટ રોડ ૫૨, ઉત્તમચંદ ઝવેરીની પોળમાં પેસતાં જમણી બાજુ શિખરયુકત જિનાલય આવેલું છે. ટોડલાં પર વિવિધ વાજિંત્રયુકત પૂતળીઓના શિલ્પ કંડારવામાં આવ્યાં છે. ઉપરની દિવાલના ભાગમાં યક્ષ તથા બે બાજુ તાપસ અને છેલ્લે બે સિંહ તથા એની ઉપર ધર્મચક્ર છે. રંગમંડપમાં ઘુમ્મટમાં કાચનું મનોરમ્ય કામ છે. એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી શીતળનાથ ભગવાનની ૧૯" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૧૩ પાષાણ પ્રતિમાઓ, ૨ સ્ફટીક પ્રતિમાઓ અને ૮ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પાછળ ભમતીમાં નાના રૂમમાં સુંદર છત્રી છે જેના પાયામાં સુંદર કોતરણી છે. ત્યાં શ્રી ગૌતમસ્વામીના ૩ જોડ પગલાં સ્થાપિત કરવામાં આવ્યા છે. ત્યાં નીચે મુજબનો લેખ છે. “મ. સં. ૧૮૨૬ના ફાલ્ગુન માસે શુકલ પક્ષે તીથૌ સાત્તમને બુધવાસરે શ્રી વટપદ્ર નગરે ગૌતમસ્વામી પાદુકાં કીર્તિવિજય મોતીવિજયેન કારિતમ શ્રી તપાગચ્છે પ્રતિષ્ઠિતું. શ્રી ધરણેન્દ્રસૂરીશ્વરેણ શુભમ્ ભવતું. ,, દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૭ છે. તે નિમિત્તે ચઢાવો બોલ ધ્વજારોપણ થાય છે. તેમજ પેંડા-પતાસાની પ્રભાવના થાય છે. દેરાસરનો વહીવટ ઘિડયાળી પોળમાં રહેતા ટ્રસ્ટી શ્રી અજિતભાઈ ઝવેરી અને શ્રી નરેન્દ્રભાઈ શાહ હસ્તક છે. તેઓના જણાવ્યા મુજબ આ દેરાસર આશરે ૧૨૫ વર્ષ જેટલું પ્રાચીન છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૧૧ પાષાણ પ્રતિમાઓ અને ૧૬ ધાતુપ્રતિમાઓ હતી. શા. લલ્લુભાઈ હરીભાઈએ બંધાવ્યાની નોંધ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. ૧૧ પાષાણ પ્રતિમાઓ અને ૧૪ ધાતુપ્રતિમાઓ ઉપરાંત બે સ્ફટિકની પ્રતિમા હતી. શ્રી સંઘે બંધાવ્યાની નોંધ છે. આ જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy