________________
૭૦
વડોદરાનાં જિનાલયો
બિરાજમાન છે. અષ્ટ પ્રાતિહારી યુકત પ્રતિમાના દર્શનથી મનને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. મૂળનાયક ભગવાનની ડાબી તરફ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન અને જમણી તરફ શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા સહિત કુલ ૬ પાષાણ પ્રતિમાઓ અને ૯ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. અહીં પત્થર પર ઉપસાવીને બનાવેલ શ્રી સિદ્ધચક્ર યંત્રનો પટ છે. બે ગોખલામાં શ્રીપદ્માવતી માતા અને શ્રી ઘંટાકર્ણવીરની પ્રતિમા છે.
મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૫૯માં પૂ. આચાર્ય શ્રી વિજયેન્દ્રદિન્નસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં મણીબેન માણેકલાલ મહેતા પરિવારના હસ્તે થયેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ પોષ વદ ૩ છે.
દેરાસરનો વહીવટ શ્રી આદિનાથ જૈન સંઘ, કારેલી બાગ હસ્તક છે. દેરાસરનાં ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ બાપુલાલ, જયંતિભાઈ છે.
આ જિનાલયનો સમય સંવત ૨૦૫૯નો છે.
(૫૩) શ્રી આદિનાથ ગૃહ ચૈત્ય (સંવત ૨૦૫૨)
ડેલ પ્લાઝા, વાઘોડિયા રોડ. વાઘોડિયા રોડ પર, ઝવેરનગર બસ સ્ટોપ પાસે, સૌભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં એક મકાનમાં પ્રસ્તુત ઘરદેરાસર આવેલું છે.
વડોદરાના શ્રી દાદા પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાંથી શ્રી આદીશ્વર ભગવાનની ૧૫" ની પ્રાચીન પ્રતિમા અને અન્ય ર ધાતુ પ્રતિમાઓ લાવી અત્રે વિ. સં. ૨૦૫રના જેઠ સુદ રના રોજ પરોણા દાખલ કરેલ છે. પ્રસ્તુત પ્રતિમાની શાંતિનગર સોસાયટીમાં બંધાઈ રહેલ શિખરબંધી દેરાસરમાં પ્રતિષ્ઠા થવાની છે. હાલમાં દેરાસરનું કામકાજ ચાલું છે.
દેરાસરનો વહીવટ શ્રી સૌભાગ્ય લક્ષ્મી હૈ. મૂ. પૂ. જૈન સંઘ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી શ્રી બાબુલાલ એન. શાહ, શ્રી ચંદ્રકાન્તભાઈ, શ્રી ભૂપેન્દ્રભાઈ જે. શાહ છે.
આ જિનાલયનો સમય સંવત ૨૦૫રનો છે.
(૫૪) શ્રી મહાવીર સ્વામી જિનાલય (સંવત ૨૦૪૨)
નવપદ સોસાયટી, આજવા રોડ. આજવા રોડ પર, નવપદ સોસાયટીમાં રોડ ઉપર શિખરયુકત જિનાલય આવેલું છે. પગથિયા પાસે આજુબાજુ હાથી ઉપર શેઠ-શેઠાણી અને દ્વારપાળની મૂર્તિવાળું શિલ્પ કંડારવામાં આવ્યું છે.