SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો દેરાસરનો વહીવટ શ્રી કારેલી બાગ છે. મૂ. જૈન સંઘ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી શ્રી શાંતિલાલ શાહ, શ્રી જયંતિલાલ શાહ, શ્રી મહેન્દ્રભાઈ શાહ છે. આ જિનાલયનો સમય સંવત ૨૦૫૩નો છે. (૫૧) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય (સંવત ૨૦૪૬) ૧૧, અષ્ટાપદ સોસાયટી, કારેલી બાગ. કારેલી બાગ, આવકાર હોલની બાજુમાં, પાણીની ટાંકી રોડ પર, અષ્ટાપદ સોસાયટીના નાકે આ દેરાસર આવેલું છે. ઉપાશ્રયની બાજુમાં એક નાની ઓરડીમાં આરસની દેવકુલિકા છે, તેની ઉપર નાનું શિખર તથા ઘુમ્મટ બનાવેલ છે. નાના ગભારામાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૭" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. દેરાસરની સ્થાપના વિ. સં. ૨૦૪૬માં થઈ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૬ છે. તે નિમિત્તે ધ્વજા ચઢાવવામાં આવે છે. દેરાસરનો વહીવટ જાસુદબેન નંદલાલ ઉમેટાવાળા, તારાબેન શાહ, હસમુખભાઈ હસ્તક છે. મૂળનાયક ભગવાનની અંજનશલાકા અમદાવાદમાં સેટેલાઈટમાં શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.ના વરદ્ હસ્તે થયેલ છે. - આ જિનાલયનો સમય સંવત ૨૦૪૬નો છે. (૫૨) શ્રી આદિનાથ જિનાલય (સંવત ૨૦૫૯) આદિનાથ સોસાયટી, બાઈટ સ્કુલના ખાંચામાં. બાઈટ સ્કુલના ખાંચામાં, આદિનાથ સોસાયટીમાં શિખરયુકત નુતન જિનાલય આવેલ છે. પ્રવેશદ્વારમાં પ્રવેશતાં જ સૌ પ્રથમ ગોખલામાં શ્રી ક્ષેત્રપાળ દાદાની આરસ પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. - રંગમંડપમાં દિવાલ પર ઉપસાવીને બનાવેલો શ્રી શત્રુંજય તીર્થનો પટ છે. બે ગોખલામાં શ્રી ગૌતમસ્વામી અને શ્રી માણિભદ્રવીરની પ્રતિમા છે. એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy