________________
૬૮
વડોદરાનાં જિનાલયો
સહિત ગાદીનશીન વિધિ કરેલ છે. ”
ઉપરના માળે મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૯" ની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની ડાબી તરફ શ્રી શીતળનાથ ભગવાનની ૧૫" ની અને જમણી તરફ શ્રી અજિતનાથ ભગવાનની ૧૫" ની પ્રતિમા બિરાજમાન છે. દેરાસરમાં કુલ ૮ પાષાણ પ્રતિમાઓ અને ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૪૦ માઘ શુકલ ૧૪ બુધવાર તા. ૧૫-૨-૧૯૮૪માં આચાર્યશ્રી ધર્મસૂરીશ્વરજી, આચાર્યશ્રી જયાનન્દસૂરીશ્વરજી, ઉપાધ્યાય શ્રી કનકવિજય, ૫. શ્રી મહાનન્દવિજયગણિની નિશ્રામાં કરોલ નિવાસી શાહ શાંતિલાલ બાપુલાલ તથા તેમના ધર્મપત્ની ભાનુબેન, સુપુત્રો પરિવારના હસ્તે કરવામાં આવી છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૨ છે. તે નિમિત્તે ચઢાવો બોલી ધ્વજારોપણ થાય છે. લાડવાની પ્રભાવના કરવામાં આવે છે. દેરાસરનો વહીવટ શ્રી કારેલી બાગ થે. મૂ. જૈન - સંઘ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી શ્રી શાંતિલાલ શાહ, શ્રી જયંતિલાલ શાહ છે.
જિનાલયનો સમય સં. ૨૦૪૦નો છે.
(૫૦) શ્રી શાંતિનાથજી જિનાલય (સંવત ૨૦૫૩)
વીરનગર સોસાયટી, કારેલી બાગ. કારેલી બાગ, વી. આઈ. પી. રોડ પર વીરનગરમાં એક માળનું શિખરયુકત દેરાસર આવેલું છે.
પહેલા માળે એક હોલમાં દિવાલને ફરતા શ્રી શત્રુંજય તીર્થ, શ્રી ગિરનાર તીર્થ, શ્રી સમેતશિખર તીર્થ, શ્રી અષ્ટાપદ તીર્થ, શ્રી આબુ તીર્થ તથા શ્રી નવપદજીના ફોટા કાચમાં મઢેલાં છે.
પબાસન પર દેરી જેવી રચના કરીને મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની ડાબી તરફ શ્રી અજિતનાથ ભગવાન અને જમણી તરફ શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. વળી પબાસન પર શ્રી પુંડરીકસ્વામી અને શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ ગુરુમુદ્રામાં બિરાજમાન છે.
દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૩માં આચાર્ય શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજીની નિશ્રામાં થયેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ માગશર સુદ ૩ છે. તે નિમિત્તે ચઢાવો બોલી ધ્વજારોપણ થાય છે. જમણવાર કરવામાં આવે છે.