SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો સા. ની પ્રેરણાથી, તેમની નિશ્રામાં વિ. સં. ૨૦૪૬માં ફાગણ સુદ ૪ના દિવસે થઈ છે. મૂળનાયક ભગવાનની અંજનશલાકા અમદાવાદમાં આચાર્ય શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.ના કરકમળ દ્વારા કરવામાં આવી છે. મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ શ્રી આશાભાઈ સોમાભાઈ પટેલ પરિવારે સ્વ. શ્રી સુરેન્દ્રભાઈના આત્મશ્રેયાર્થે લીધો છે. ૬૫ દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૪ છે. તે નિમિત્તે ચઢાવો બોલી ધ્વજારોપણ થાય છે. તેમજ પૂજા ભણાવાય છે તથા પ્રભાવના અને જમણવાર કરવામાં આવે છે. દેરાસરનો વહીવટ શ્રી ભકિતવર્ધક શ્વે. મૂ. પૂ. જૈન ચૈત્ય સમિતિ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી શ્રી જે. આર. શાહ, હસમુખભાઈ દોશી, એસ. કે. શાહ છે. આ જિનાલયનો સમય સંવત ૨૦૪૬નો છે. (૪૭) શ્રી શાંતિનાથ ભગવાનનું ગૃહ ચૈત્ય (સં. ૨૦૨૦ આસપાસ) ૧૫, પરિશ્રમ સોસાયટી, સુભાનપુરા. સુભાનપુરા વિસ્તારમાં આવેલ પરિશ્રમ સોસાયટીના બંગલા નં. ૧૫ના પાછળના ભાગમાં શ્રી આશાભાઈ સોમાભાઈ પટેલના ઘરમાં દેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૭" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉ૫૨ નીચે મુજબનો લેખ કોતરવામાં આવ્યો છે. “સંવત ૧૭૮૬ વર્ષે વૈશાખ વદી ૧૩ ૨વો ઉશવંશે શ્રી વિજયદેવસૂરિ રાજયે ભ. શ્રી વિજયદયાસૂરી ગચ્છે શ્રી ચંપાબાઈ કેન શ્રી શાંતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી લક્ષ્મીસાગરસૂરિભિઃ” સદર પ્રતિમાજી ભરૂચના શ્રીમાળી પોળના શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના દેરાસરમાંથી લાવવામાં આવી છે. ઘર માલિક દ્વારા જાણવા મળ્યું તે અનુસાર આશરે ૪૦ વર્ષ પહેલાં અત્રે પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ માગશર સુદ ૫ ના રોજ આવે છે. તે નિમિત્તે પૂજા ભણાવવામાં છે. દેરાસરનો વહીવટ શ્રી આશાભાઈ સોમાભાઈ પટેલ હસ્તક છે. આ જિનાલયનો સમય સંવત ૨૦૨૦ આસપાસનો છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy