SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩ જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૪ પાષાણ પ્રતિમાઓ તથા ૧૭ ધાતુ પ્રતિમાઓ હતી. સં. ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૫ પાષાણ પ્રતિમાઓ તથા ૧૭ ધાતુ પ્રતિમાઓ હતી. ગાંધી હઠીભાઈએ આ દેરાસર બંધાવ્યાની નોંધ છે. ઉપર્યુક્ત આધારોથી આ જિનાલયનો સમય સંવત ૧૯૬૩ પૂર્વેનો છે. નિશ્ચિત સમય નક્કી કરવા વધુ સંશોધનની જરૂર છે. (૪૪) શ્રી શાંતિનાથ ભગવાન જિનાલય (સંવત ૨૦૫૦) ૬૭૬, શરદનગર, તરસાલી રોડ. વડોદરાથી ૬ કિ. મી.ના અંતરે તરસાલી રોડ પર ૬૭૬, શરદનગરમાં વિશાળ જગ્યા ધરાવતું બે માળનું શિખયુકત દેરાસર આવેલું છે. નીચે ઉપાશ્રય છે. એક પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં અંદર શ્રી શત્રુંજયનો કાચનો એક પટ છે. ગભારો મધ્યમ કદનો છે. મધ્યે શિખર અને આજુબાજુ ઘુમ્મટ યુકત આરસનાં તોરણો અને થાંભલાવાળી છત્રીની રચના છે. અહીં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની ડાબી તરફ શ્રી મહાવીર સ્વામી ભગવાન તથા જમણી તરફ શ્રી આદિનાથ ભગવાન બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા પરના લેખમાં સમય “સંવત ૨૦૫૦, વૈ. કૃષ્ણા ત્રીજ છું વંચાય છે. ' દેરાસરની પ્રતિષ્ઠા આ. શ્રી જિનભદ્રસૂરીશ્વરજી મ. સા. તથા આ. શ્રી યશોવર્મસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી મહેશભાઈ તથા પંકજભાઈ અરવિંદભાઈ શાહ પરિવારે માતા હસુમતીબેનના શ્રેયાર્થે કરાવી હતી. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ વદ ૩ છે. તે નિમિત્તે શ્રી મહેશભાઈ અરવિંદભાઈ શાહ પરિવાર દ્વારા ધ્વજારોપણ કરવામાં આવે છે. તેમજ સત્તરભેદી પૂજા ભણાવાય છે. દેરાસરનો વહીવટ ટ્રસ્ટ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટીઓ શ્રી કિરીટભાઈ શાહ, દિનેશભાઈ શાહ, રમેશભાઈ શાહ છે. આ જિનાલયનો સમય સં. ૨૦૫૦નો છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy