SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ડાદરાનાં જિનાલયો દેરાસરનો વહીવટ શ્રી પાર્શ્વનાથ જૈન સંઘના પ્રમુખ શ્રી જે. બી. પરીખ, શ્રી જયંતિભાઈ સી. શાહ, શ્રી કીર્તિભાઈ શાહ કરી રહ્યા છે. આ જિનાલયનો સમય સંવત ૨૦૫૯નો છે. ૬૨ (૪૨) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ગૃહ ચૈત્ય ૨૧, ધનુષ્ય સોસાયટી નં-૧, ચાણક્યપુરી. ધનુષ્ય સોસાયટી નં-૧માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સમા રોડ પ૨ ૨૧, ઘરદેરાસર આવેલું છે. નાના રૂમમાં છત્રીમાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૭" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૫ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૬ છે. તે નિમિત્તે દેવકુલિકા પર ઘુમ્મટ જેવા શિખર પર ધ્વજા ચઢાવવામાં આવે છે. દેરાસરની પ્રતિષ્ઠાનો લાભ શ્રી જે. બી. પરીખે લીધેલ છે. દેરાસરનો વહીવટ શ્રી જે. બી. પરીખ કરી રહ્યા છે. (૪૩) શ્રી આદિનાથ જિનાલય (સંવત ૧૯૬૩ પૂર્વે) તરસાલી ગામ વડોદરાના તરસાલી ગામમાં એક માળનું શિખરયુકત દેરાસર આવેલું છે. મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશતાં મધ્યમ કદનો રંગમંડપ છે. જેના ઘુમ્મટમાં એક ઝુમ્મર છે. એક ગર્ભદ્વારવાળા નાના ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૧૭" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૫ પાષાણ પ્રતિમાઓ અને ૧૯ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. મુનિશ્રી જ્ઞાનસાગરગણિની સં. ૧૮૨૨ની એક જોડ પાદુકા છે. મૂળનાયક ભગવાનની · બાજુની પ્રતિમા પરના લેખની સમય સંવત ૧૮૬૪ વંચાય છે. દિવાલ ઉપર પત્થર વડે ઉપસાવેલ શ્રી સમેતશિખર તીર્થ અને શ્રી ગિરનાર તીર્થના રંગીન પટ છે. અહીં કારતક વદ ત્રીજના રોજ મેળો ભરાય છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૬ના રોજ ધ્વજારોપણ થાય છે. દેરાસરનો વહીવટ શ્રી ઠાકોરભાઈ હીમચંદ શાહ અને શ્રી ચંપકભાઈ શાહ કરી રહ્યા છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy