SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૬૧ (૪૧) શ્રી સીમંધરસ્વામી જિનાલય (સંવત ૨૦૫૯) ૨૧, ધનુષ્ય સોસાયટી, ચાણક્યપુરી પાસે. સમા રોડ પર ૨૧, ધનુષ્ય સોસાયટીમાં બે માળનું શિખરયુકત નુતન જિનાલય આવેલું છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામેથી વડોદરાના શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ તરફથી સંવત ૨૦૫પના મહા વદ ૫ તા. ૫-૨-૧૯૯૯ ને શુક્રવારનાં રોજ શુભમુહૂર્ત પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં તથા મુનિ શ્રી કલ્યાણ બોધિવિજયજી મ. સા. ની પ્રેરણાથી, મંગલ આશીર્વાદ અને ઉપસ્થિતિમાં અતિ પ્રાચીન મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન, અન્ય ૪ પાષાણ પ્રતિમાઓ અને ૧૪ ધાતુ પ્રતિમાઓ, જોડ આરસનાં પગલાં, શ્રી પદ્માવતી દેવી, શ્રી માણિભદ્રવીર, શ્રી ચક્રેશ્વરી દેવી આદિ વિશાળ પરિવાર ઉત્થાપન કરી અત્રે પરોણા દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ આ જિનાલયનું કામ પૂર્ણ થતાં વિ. સંવત ૨૦૫૯ના વૈશાખ સુદ ૬ના રોજ પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં અન્ય પાંચ નવી પાષાણ પ્રતિમાઓ સહિત સમગ્ર જિનબિંબોની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. વિશાળ રંગમંડપમાં ગોખલામાં અધિષ્ઠાયક દેવ-દેવીની પ્રતિમા બિરાજમાન છે. ભોંયતળિયાના ભાગમાં ગભારામાં મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની પ૧" ની પ્રતિમા બિરાજમાન છે. જેની પ્રતિષ્ઠા શ્રી કીર્તિભાઈ શાહ પરિવારના હસ્તે થયેલ છે. અહીં કુલ ૫ પાષાણ પ્રતિમાઓ બિરાજમાન છે. ઉપરના માળે ગભારામાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની ૩૫" ની પ્રતિમા બિરાજમાન છે. જેની પ્રતિષ્ઠા શેઠ શ્રી જેશીંગભાઈ બી. પરીખ પરિવારના હસ્તે થયેલ છે. અહીં કુલ ૫ પાષાણ પ્રતિમાઓ અને ૧૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. શ્રી પદ્માવતી દેવીની ધાતુમૂર્તિ છે." મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ કોતરવામાં આવ્યો છે. શ્રી આદીશ્વર બિંબ સંવત ૧૮૪૪ વર્ષે વૈશાખ સુદી ૧૦ ગુરૌ શ્રી તપાગચ્છન શ્રી વિજયલક્ષ્મસૂરિણા સંપૂજિત કરવાડા વાસ્તવ્ય લાડુઆ શ્રીમાળી જ્ઞાતીય સમસ્ત શે ખુશાલ - ઠાતી ભાર્યા શ્રી કપુરબાઈ સ્વશ્રેયસે શ્રી ઋષભદેવબિંબ કારાપિત ભકતાનાં ઋદ્ધિ વૃદ્ધિ ચિતનોતુ શ્રી ” દેરાસરની પાછળના ભાગમાં બે અલગ દેરીમાં બે જોડ આરસ પગલાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૬ છે. તે નિમિત્તે શ્રી જે. બી. પરીખ પરિવાર તથા શ્રી કીર્તિભાઈ શાહ પરિવારને ધ્વજા બદલવાનો કાયમી લાભ આપવામાં આવેલ છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy