SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ વડોદરાનાં જિનાલયો ઐતિહાસિક સંદર્ભ સંવત ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે નરસિંહજીની પોળમાં થયો છે. અહીં ૩ ધાતુ પ્રતિમાઓ હતી. મણિભાઈ બાપુભાઈ વૈદ્ય આ દેરાસર બંધાવ્યાની નોંધ છે. હાલના સ્થળે આ જિનાલયની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૪માં થયેલ છે. . (૪૦) શ્રી સંભવનાથ જિનાલય (સં. ૨૦૫૯) ૨૦/૨૧ આમ્રકુંજ સોસાયટી, અલકાપુરી. અલકાપુરી વિસ્તારમાં લાયન્સ હોલ સામે આમ્રકુંજ સોસાયટીમાં બં.નં. ૨૦/ર૧માં દેવવિમાન જેવું ઉત્તુંગ, લાલ પત્થરનું, શિખરયુકત નૂતન જિનાલય આવેલું છે. પગથિયાં ચઢીને નાનો ઓટલો આવે છે. પગથિયાંની બન્ને બાજુ હાથીની મૂર્તિઓ છે તથા બાજુમાં નાનો ચબુતરો બનાવવામાં આવ્યો છે. ત્રણ પ્રવેશદ્વારવાળા જિનાલયના રંગમંડપમાં શ્રી શત્રુંજય તીર્થ અને શ્રી ગિરનાર તીર્થના . પટ છે. અન્ય બે બાજુ બીજા બે પ્રવેશદ્વાર છે. ગભારા પાસે એક ગોખલામાં શ્રી ગૌતમસ્વામી તથા બીજી બાજુ ગોખલામાં શ્રી નેમિસૂરીશ્વરજી મ. સા.ની પંચધાતુની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. ગભારા મધ્યે મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની ૩૫" ની (પરિકર સહિત ૭૧" ની) ધાતુ પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની આજુબાજુ શ્રી મહાવીરસ્વામી અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. અહીં પંચધાતુની કુલ ૨૧ પ્રતિમાઓ બિરાજમાન છે. દેરાસરની પાછળના ભાગમાં દેરીમાં શ્રી ઘંટાકર્ણવીર અને શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. વિ. સં. ૨૦૫૯માં આચાર્ય શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શાહ બાલુભાઈ મગનલાલ પરિવારના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ દેરાસરની વર્ષગાંઠ તિથિ પોષ વદ ૧ છે. તે નિમિત્તે ચઢાવો બોલી ધ્વજા ચઢાવવામાં આવે છે. દેરાસરનો વહીવટ શ્રી રેસકોર્સ શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘના પ્રમુખ શ્રી બીપીનભાઈ આર. શાહ, શ્રી અશોકભાઈ એ. જૈન અને શ્રી પ્રતાપભાઈ બી. શાહ કરી રહ્યાં છે. આ જિનાલયનો સમય સંવત ૨૦૫૯નો છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy