________________
વડોદરાનાં જિનાલયો
૫૯ શાંતિભાઈ કેશવલાલ દ્વારા કરવામાં આવી છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૫ છે. તે નિમિત્તે ધ્વજારોપણ તેમજ અઢાર અભિષેક થાય છે.
દેરાસરનો વહીવટ ગૃહમાલિક શ્રી શાંતિભાઈ કેશવલાલ શાહ કરી રહ્યાં છે. આ જિનાલયનો સમય સંવત ૨૦૫રનો છે.
(૩૯) શ્રી ચંદ્રપ્રભસ્વામી ગૃહ ચૈત્ય (સં. ૨૦૪૪)
૨૪, આનંદનગર સોસાયટી, ઋષભ પ્રોડકટીવીટી રોડ. ઋષભ પ્રોડકટીવીટી રોડ પર ૨૪, આનંદનગર સોસાયટીમાં આ ઘરદેરાસર આવેલ છે. દેરાસર પ્રમાણમાં ખૂબ જ નાનું છે.
| ત્રિગડા પર નાના સિંહાસનમાં છત્રી નીચે મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ" ની પંચતીર્થી પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની આજુબાજુ શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન છે. ત્રણેય ધાતુની પ્રતિમાઓ પાછળ દિવાલ પર ૧૪ સ્વપ્ન કોતરેલા છે અને ચાંદીનો છોડ ઉપસાવેલો છે તથા તોરણમાં અષ્ટમંગલ કોતરેલા છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ કોતરવામાં આવ્યો છે.
સંવત ૧૫૬૭ વર્ષે માઘ સુદ ૫ ગુરૌ વેડા ગ્રામે શ્રી શ્રી વોશે શ્રે ગુણપત ભામાન્ત પુત્રી શ્રાવીયા નીજપતિ કમ્હાસા ગુણીયાર્થ શ્રી ચંદ્રપ્રભબીબ કારીતમ્ શ્રી વૃદ્ધા તપાગચ્છ શ્રી લબ્ધિસાગરસૂરિભિઃ સંતને શ્રીસૂરિભીઃ પ્રતિક્તિ ચિરંજીવીયાત. ”
શ્રી અજિતનાથ ભગવાનનો લેખ. “સં. ૧૮૭૭ માઘ વદી-૨ વાર ચંદ્ર હરજીવન માતિ અજિતનાથ બીંબ પ્રતિષ્ઠિતું. ” શ્રી શાંતિનાથ ભગવાનનો લેખ.
“સંવત ૧૮૯૩ મહા સુદી ૧૦ અમૃતબાઈ શ્રી શાંતિનાથ બીબ કારાપીત પ્ર. શ્રી પાલીતાણા શ્રી સાગર પ્ર. શ્રી શાંતીસાગરસૂરિભિઃ”
આ દેરાસર પહેલાં નરસિંહજીની પોળમાં દલા પટેલની પોળમાં હતું. ત્યાંથી સંવત ૨૦૪૪માં અહીં લાવવામાં આવ્યું છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૦ છે. તે નિમિત્તે પંચકલ્યાણકની પૂજા ભણાવાય છે. દેરાસરનો વહીવટ ડૉ. બચુભાઈ વૈદ્ય કરે છે.