________________
૫૮
વડોદરાનાં જિનાલયો
પ્રશાન્ત શ્રી જી મ. સા.ના પ્રશિષ્યા (ભીકમચંદની સુપુત્રી આશાબેન) પૂ. હર્ષિતપૂર્ણાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી મરૂઘર પાડીવ નિવાસી સ્વ. પૂ. પિતાશ્રી મલકચંદજીની પુણ્ય સ્મૃતિમાં તથા માતૃશ્રી હલાસીબેનના આત્મશ્રેયાર્થે તેમના સુપુત્રો ભીકમચંદ, જ્ઞાનમલ, મોહનલાલ, પૌત્ર પારસમલ, પ્રકાશચંદ્ર, મનોજ, લલીત, પ્રવીણ, આશીષ પ્રપૌત્ર રાજેન્દ્ર, પ્રદીપ, દીપેશ વગેરે તાતડ પરિવારે સ્વદ્રવ્યથી બનાવી વૈશાખ વદ ૬ (માર, જેઠ વદ ૬ ) વિક્રમ સંવત ૨૦૪પના શુભદિને પ. પૂ. શ્રી કેસરસૂરિજી મ. સા.ના પૂ. આ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સા. ની | નિશ્રામાં મહામહોત્સવપૂર્વક શ્રી શીતળનાથ વગેરે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવીને શ્રી પારસ જે. મૂ. જૈન સંઘ વડોદરાને સાદર સમર્પિત કરેલ છે. શ્રી સંઘસ્ય શુભ ભવતું.
મધ્યમ કદના રંગમંડપમાંથી ગભારાને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા છે. રંગમંડપમાં જમણી બાજુ ગોખમાં શ્રી પુંડરીકસ્વામી અને ડાબી બાજુ ગોખમાં શ્રી ગૌતમસ્વામીની પાષાણ પ્રતિમાઓ બિરાજમાન છે. .
ગભારામાં વચ્ચે શિખર અને આજુબાજુ ઘુમ્મટની રચનાવાળી આરસની છત્રીમાં મૂળનાયક શ્રી શીતળનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની ડાબી તરફ શ્રી મહાવીર સ્વામી અને જમણી તરફ શ્રી સંભવનાથ ભગવાન બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ૫ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ વદ ૬ છે. તે નિમિત્તે ચઢાવો બોલી ધ્વજારોપણ કરવામાં આવે છે. તેમજ સત્તરભેદી પૂજા ભણાવાય છે તથા સંઘમાં જમણવાર થાય છે.
દેરાસરનો વહીવટ ટ્રસ્ટ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટીઓ શ્રી ભીકમચંદ મલકચંદ તાતેડ, અને રમણલાલ શાહ છે.
આ જિનાલયનો સમય સંવત ૨૦૪પનો છે.
(૩૮) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ગૃહ ચૈત્ય (સં. ૨૦૫૨)
૨૫, હરિનગર સોસાયટી, ગાત્રી રોડ. ગાત્રી રોડ પર, હરિનગર સોસાયટીમાં ૨૫ નંબરમાં પહેલે માળે ઘરદેરાસર આવેલું છે.
મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૨૫" ની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની આજુબાજુ શ્રી વાસુપૂજયસ્વામી અને શ્રી સુપાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૫૨માં શ્રી વારિષણ મહારાજની નિશ્રામાં શ્રાવક શ્રી