________________
૫૩
વડોદરાનાં જિનાલયો દેવીની મૂર્તિ છે.
દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૩૦માં આચાર્ય શ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મ. સા. તથા શ્રી ભુવનચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી રમેશચંદ્ર ચીમનલાલ તથા શ્રીમતી નયનાબેન રમેશભાઈ ના હસ્તે કરવામાં આવી છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ વદ ૭ના દિવસે છે.
દેરાસરનો વહીવટ શ્રી રમેશભાઈ શાહ, સંદીપભાઈ શાહ અને અનુપમાબેન ભરતભાઈ હસ્તક છે.
આ જિનાલયનો સમય સં. ૨૦૩૦નો છે.
(૩૪) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય (સં. ૧૯૯૩ પૂર્વે)
ફત્તેપુરા, મેઈનરોડ. ફત્તેપુરાના મુખ્ય માર્ગ પર પૂર્વાભિમુખ શિખરયુક્ત દેરાસર આવેલ છે.
પગથિયાં ચઢતાં મુખ્ય પ્રવેશદ્વારે કમળાકાર ધરાવતી સામરણયુક્ત છત્રીની રચના છે. એક બાજુ દેવકુલિકામાં શ્રી પદ્માવતી દેવી અને બીજી બાજુ દેવકુલિકામાં શ્રી માણિભદ્ર દેવની મૂર્તિ પ્રતિક્તિ કરવામાં આવી છે. પરસાળના ભાગમાં પેઢીની ઑફિસ તથા કેસરસુખડની ઓરડી છે. જેની બાજુમાં એક નાના ગોખમાં આચાર્ય શ્રી જિનદત્તસૂરી તથા આચાર્ય શ્રી જિનકુશલસૂરીનાં પગલાં સ્થાપિત કરવામાં આવ્યાં છે.
દેરાસરના રંગમંડપમાં તંભો ઉપર તથા મધ્યમાં પૂજા કરવા જતી, વાજિંત્રો વગાડતી, વિવિધ રંગોથી શોભતી. સુંદર ૧૬ પૂતળીઓ છે. રંગમંડપમાં શ્રી સમેતશિખર તીર્થ, શ્રી અષ્ટાપદ તીર્થ, શ્રી શત્રુંજય મહાતીર્થ તથા શ્રી સિદ્ધચક્રજીના પટ ઉપર પત્થર વડે ઉપસાવીને સુંદર રંગકામથી નયનરમ્ય બનાવ્યાં છે. ગોખમાં શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા બિરાજમાન છે.
ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ફણા સહિત ૯" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૯ પાષાણ પ્રતિમાઓ અને ૯ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ છે.
“સંવત ૧૯૦૩ શાકે ૧૯૬૮ પ્રવર્તમાને માઘ માસે શુકલ પક્ષે ૫ તિથી ભૃગુવાસરે શ્રી ગુર્જર દેશે શ્રીમદ્ વડોદરા નગરે વાસ્તવ્ય ઓસવાલ જ્ઞાતીય વૃદ્ધ શાખામાં સા. સોમચંદ્ર તત્ ભાર્યા બાઈ ધનકુંવર તત્ પુત્ર સા. હિરાચંદ તત્ ભાર્યા અંજાબાઈ. . . . . . . પતિ ઉભયલોકે શ્રેયાર્થે શ્રી પાર્શ્વ જિનેશ્વર બિંબ કારાપિત શ્રીમત્ત પાગચ્છ પ્રતિષ્ઠિત ભટ્ટારક શ્રી વિજયનરેન્દ્ર