________________
શાસ્ત્રીય નિયમોના પાલન પૂર્વક, ભક્તિ અને ભાવપૂર્વક, આશાતના ન થાય તેવી રીતે ઝીણામાં ઝીણી વિગતો પ્રાપ્ત કરી શકાય તેટલી બાબતો એકઠી કરી અહીં પ્રસ્તુત કરી છે. આ કાર્યમાં અનેક વિપ્નો અને અવરોધો આવ્યા છે. જેવા કે હુલ્લડને કારણે નિર્ધારિત સમયમાં માહિતી એકઠી થઈ શકી નથી, ઘણે સ્થળે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવતાં – તે તમામનો ખૂબ જ ખંત અને ધીરજપૂર્વક ઉત્તર આપી તેઓને સંતોષ આપી માહિતી મેળવી છે. ઘણીવાર ટ્રસ્ટીઓ એ કાર્યમાં સહયોગ આપવાને બદલે શંકાકુશંકા કરી વિલંબ ઊભો કર્યો હતો છતાં બહેનોએ ખૂબ જ ધીરજ ધરીને બધી જ બાબતોનો ખુલાસો આપી માહિતી મેળવી છે. આમ આ દુરૂહ કાર્યને બહેનોની ધીરજ અને પારૂલબેનના કુશલ નેતૃત્વ દ્વારા સફળતા પૂર્વક પાર પાડ્યું છે. આ કાર્યમાં દક્ષાબેન, ઉષાબેન, ગીતાબેન, પુષ્પાબેન આદિ બહેનો એ સદ્યોગ આપ્યો છે તે બદલ તેમનો ખાસ આભાર માનવામાં આવે છે. પારૂલબેને ઇતિહાસ અને અન્ય માહિતી એકઠી કરી છે. તેમજ સમગ્ર આયોજન પણ તેમણે જ કર્યું છે તે માટે ધન્યવાદને પાત્ર છે.
જિતેન્દ્ર બી. શાહ