________________
૫૦
વડોદરાનાં જિનાલયો
પ્રતિષ્ઠિત કરેલ છે.
આરસનાં પગથિયાંવાળો મોટો ઓટલો આવે છે. જેમાં ગુલાબી થાંભલાઓમાં વચ્ચે. ભગવાનની મૂર્તિઓ અને નીચે દેવીઓની મૂર્તિઓ કંડારેલી છે. ઉપર તોરણ છે. થાંભલાઓની ઉપર બહારની બાજુ વિવિધ રંગોથી શોભતી અને જુદા-જુદા ભાવ દર્શાવતી સુંદર પૂતળીઓ બેસાડી છે.
ડાબી બાજુ ઉતરતાં ગુરુમંદિર છે, તેમાં શાસન સમ્રાટ પ. પૂ. આ. વિજય નેમિસૂરીશ્વરજીની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. બાજુમાં શ્રી માણિભદ્રવીરની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જમણી બાજુ ઉતરતાં ચાર દેવકુલિકાઓમાં શ્રી પદ્માવતી દેવી, શ્રી ચક્રેશ્વરી દેવી, સહસ્ત્રકુટ, શ્રી નાકોડા ભૈરવનાથની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરેલ છે.
વિશાળ રંગમંડપમાં વચ્ચે કંડારેલો મોટો ઘુમ્મટ છે. થાંભલાઓ ઉપર વાજિંત્ર વગાડતી સુંદર પૂતળીઓ અને સ્તંભો ઉપર વચ્ચે સુંદર તોરણો છે. રંગમંડપમાં અન્ય બે પ્રવેશદ્વાર છે જયાં જમણી બાજુ શ્રી સિદ્ધચક્રજીનો અને ડાબી બાજુ શ્રી શત્રુંજય તીર્થનો પટ છે. રંગમંડપમાં ગોખલામાં શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા અને કાચના કબાટમાં સહગ્નકુટ છે.
ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની ફણા સહિત ૬૧" ની પ્રતિમા બિરાજમાન છે. ડાબા ગભારે શ્રી ચંદ્રપ્રભસ્વામી અને જમણા ગભારે શ્રી અજિતનાથ ભગવાન બિરાજમાન છે. દેરાસરમાં કુલ ૨૧ પાષાણ પ્રતિમાઓ અને ૧૫ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. શ્રી પાર્શ્વયક્ષ અને શ્રી પદ્માવતી દેવી પ્રતિષ્ઠિત કરેલ છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબ લેખ કોતરવામાં આવ્યો છે.
વંદભૂષિત વિદૂષી સાધ્વીજી પ્રવીણાશ્રીજી (સંસારપક્ષે પિતૃધ્વસા) તથા તતુ શિષ્યાશ્રીજી સૌરભયશાશ્રીજી (સંસારપક્ષે ભગિની) ઉપદેશેન ચ વેજલપુરે વાસ્તવ્ય (વર્તમાન વડોદરા) નિવાસી ગાંધી નગીનદાસ વાડીલાલ તન્દુ ધર્મપત્ની અ.સૌ. ચંપાબેન, સુપુત્ર સુશ્રદ્ધાગણ સુરેન્દ્રભાઈ, પુત્રવધુ અ. સી. વીણાબેન, પૌત્ર ચિ. વિપુલભાઈ, રાકેશભાઈ, અમરકુમાર, પૌત્રવધુ હીનાબેન, સોનલબેન, પ્રપૌત્ર વિરલ, હિરલ, કરણ પરિવારણ કા. પ્ર. શાસન સમ્રાટ આ. શ્રી. વિજયનેમિસૂરી, પટ શ્રી વિજયોદયસૂરી, પટ શ્રી મેરૂપ્રભસૂરીશ્વરે , આ. દેવસૂરી, આ. કુમુદચંદ્રસૂરી, આ. મહિમાપ્રભસૂરી, આ. ચંદ્રોદયસૂરી, આ. સૂર્યોદયસૂરી, આ. હેમચંદ્રસૂરી, પૂ. શ્રી માનતુંગવિજયગણિ, પં. શ્રી ચંદ્રસેનવિજયગણિ, પં. શ્રી ઇંદ્રસેન વિજયગણિ સહિતૈઃ વટપદ્ર (વડોદરા) નગરે અંજનશલાકા મહોત્સવ શાસન સમ્રાટ જૈન દેહ. પેઢી નિર્મિત મંદિરે વિ. સં. ૨૦૪પ માઘ શુકલ ૧૧ ગુરુવાસરે શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ. આલેખિત ગણિવર્ય શ્રી સિંહસેન વિજયેન. "
ઉપર પહેલે માળે મૂળનાયક શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા બિરાજમાન છે. ડાબી બાજુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અને જમણી બાજુ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે.