________________
વડોદરાનાં જિનાલયો
૪૯ (૩૦) શ્રી આદિનાથ (શ્રી ઋષભદેવ પ્રભુ) પ્રાસાદ (સં. ૨૦૦૮)
મહાવીર જૈન વિદ્યાલય, પ્રતાપનગર, આર. વી. દેસાઈ રોડ. મઘવીર જૈન વિદ્યાલયના પરિસરમાં એક ખૂણા પર શિખરયુકત દેરાસર આવેલ છે.
રંગમંડપમાં એક ગોખલામાં આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી અને આચાર્ય શ્રી વલ્લભસૂરીશ્વરજી મ. સા. ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
નાના ચોરસ ગભારામાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની ૨૩" ની પ્રતિમા બિરાજમાન છે. તેમની આજુબાજુ શ્રી વાસુપૂજયસ્વામી અને શ્રી સુવિધિનાથ ભગવાન બિરાજમાન છે. અહીં કુલ ૫ પાષાણ પ્રતિમાઓ અને ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ કોતરવામાં આવ્યો છે.
વિક્રમ સંવત ૨૦૦૨ વૈશાખ સુદ ૧૦ શનૌ રાજનગરવાસી શેઠ શ્રી હરિલાલ સૂત શિવલાલે (સત્યવાદી) સ્વશ્રેયાર્થે શ્રી આદીશ્વર જિનબિંબ કારિત રાજનગરે શેઠ શ્રી નાથાલાલ સૂત રતિલાલ અંજનશલાકા મહોત્સવે તપાગચ્છાચાર્ય પ્રશાન્ત તપોનિધિ વિજયસિદ્ધિસૂરીશ્વરેણ પ્રતિષ્ઠિત. ”
આસપાસના નાના નાના ગામોમાંથી આવતા વિધાર્થીઓ આ સંસ્થામાં રહી શહેરની અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાભ્યાસ કરે છે. આ વિધાર્થીઓમાં ધાર્મિક સંસ્કારો જાગૃત રહે તેવી ઉદાત્ત અને શુભ ભાવનાથી પ્રેરાઈ, સંસ્થાના મકાનની બાજુમાં જ વડોદરાના સુપ્રસિદ્ધ ઝવેરી શેઠ જમનાદાસે સ્વદ્રવ્ય આ રમણીય જિનાલય બંધાવી આપ્યું હતું. સં. ૧૯૯૯માં ખાતમુહૂર્ત થયા બાદ સં. ૨૦૦૮માં મહાવદ ૬ના રોજ આચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.
દેરાસરનો વહીવટ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થા હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી ડૉ. શૈલેષભાઈ શાહ, બીપીનભાઈ શાહ તથા ભૂપેન્દ્રભાઈ મહાતી છે.
આ જિનાલયનો સમય સં. ૨૦૦૮નો છે.
(૩૧) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૪૫)
આચાર્ય શ્રી નેમિસુરિ માર્ગ, શ્રી સોસાયટી, પ્રતાપગઢ. શ્રી નેમિસૂરિ માર્ગ પર ત્રણ શિખરવાળું, બે માળનું, ભવ્ય દેરાસર આવેલ છે.
દેરાસરના પરિસરમાં પ્રવેશ કરતાં જ બે મોટા અંબાડીયુક્ત હાથીની મૂર્તિઓ છે. હાથી પર મહાવત અને અંબાડીમાં શેઠ-શેઠાણી આવકાર આપતાં બેઠાં છે. વચ્ચે એક નાની દેરીમાં પ. પૂ. આચાર્ય મેરૂપ્રભસૂરીશ્વરજીની મૂર્તિ અને નાની દેવકુલિકામાં શ્રી ઘંટાકર્ણ વીરની મૂર્તિ