SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો દ્વાર છે. રંગમંડપનો ઘુમ્મટ નકશીકામવાળો છે. તોરણો પણ આરસનાં નકશીકામવાળાં છે. થાંભલા ઉપર સોનેરી રંગથી રંગેલી નૃત્યાંગનાઓ જોવા મળે છે. ૪૮ ગર્ભગૃહમાં ૭ પાષાણ પ્રતિમાઓ અને ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પરિકર યુકત ૨૫"ની પ્રતિમા બિરાજમાન છે. તેમની આજુબાજુ શ્રી મહાવીરસ્વામી ભગવાન અને શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. ઉપરના માળે શિખરમાં શ્રી સીમંધરસ્વામી ભગવાનની ૨૧"ની પ્રતિમા બિરાજમાન છે. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શ્રાવક શ્રી બાબુભાઈ સી. જરીવાલા પરિવારે (સુરત) પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. દેરાસરનું સ્થાપના વર્ષ વિ. સં. ૨૦૩૮ તા. ૫-૩-૮૨ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૧૦ છે. તે નિમિત્તે દર વર્ષે શ્રી બાબુભાઈ સી. જરીવાલા પરિવાર દ્વારા ધ્વજારોપણ થાય છે. દેરાસરનો વહીવટ શ્રી આદિનાથ જૈન સંઘ હસ્તક છે. આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૩૮માં થયેલ છે. (૨૯) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય - ફત્તેહસાગર કોમ્પલેક્ષ, ફત્તેહગંજ. ફત્તેહસાગર કોમ્પલેક્ષના બંગલા નં. ૨૧માં ઉપરના માળે આ દેરાસર આવેલું છે. નીચે ઉપાશ્રય છે. રંગમંડપ કે ગભારા વગરના દેરાસરમાં આરસની પાળી ઉપર મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ફણા સહિત ૨૭" ની પરિકરયુકત પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે. આચાર્ય શ્રી શીલચંદ્રવિજયજી મ.સા.ની નિશ્રામાં શ્રાવક શ્રી મહેન્દ્રભાઈ ઝવેરી (મુંબઈ) પરિવારે પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ સુદ ૧૩ છે. તે નિમિત્તે ચઢાવો બોલીને ધ્વજારોપણ થાય છે તેમજ પૂજા ભણાવાય છે. દેરાસરનો વહીવટ શ્રી ફતેહગંજ જૈન સંઘ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી હસમુખભાઈ શાહ, રજનીભાઈ શાહ તથા ભૂપેન્દ્રભાઈ શાહ છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy