________________
વડોદરાનાં જિનાલયો
શ્રી સરસ્વતી દેવી, શ્રી પદ્માવતી દેવી, શ્રી લક્ષ્મી દેવી તથા શ્રી મહાકાલી દેવીની આરસની મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવી છે.
૪૪
આ ભવ્ય જિનાલયનું ખાતમુહૂર્ત વિ. સં. ૨૦૪૭ મા. સુ. ૧૩ શુક્રવારને તા. ૩૦૧૧-૧૯૯૦ અને શિલાન્યાસ વિ. સં. ૨૦૪૭ મા. વદ. ૧ સોમવારને તા. ૩-૧૨-૧૯૯૦માં થયેલ છે. વિ. સં. ૨૦૫૪માં ધામધૂમપૂર્વક અંજનશલાકા મહોત્સવ ઉજવાયો હતો અને મહા સુદ ૬ના દિને પ્રતિષ્ઠા થઈ હતી.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૬ ના શુભ દિને છે.
દેરાસરનો વહીવટ શ્રી વડોદરા અચલગચ્છ જૈન સંઘ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી વિસનજી સુંદરજી ગડા, વલભજી પ્રેમજી સાવલા, નેમચંદ ખીમજી ગડા છે.
ઉપરોક્ત આધારો દ્વારા નિર્ણીત થાય છે કે આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૫૪માં થયેલ છે.
(૨૫) શ્રી ચંદ્રપ્રભસ્વામી જિનાલય (સં. ૧૯૬૩ પૂર્વે )
સુલતાનપુરા, મોઢપોળ, સાધના ટોકીઝની ગલીમાં.
મોઢ પોળમાં અંદર ડાબી બાજુ ત્રણ શિખરયુકત સાદું પણ સુંદર આ દેરાસર આવેલું છે.
મધ્યમ એવા રંગમંડપના સ્તંભની ઉપર રોહિણી, પ્રજ્ઞપ્તિ, વ્રજશૃંખલા, વ્રજકુશી, ચક્રેશ્વરી, પુરુષદત્તા, કાલી અને મહાકાલી આ આઠ દેવીઓ છે.
ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનની ૨૩" ની પ્રતિમા બિરાજમાન છે. ડાબી તરફના ગભારામાં શ્રી મહાવીરસ્વામી ભગવાન અને જમણી તરફના ગભારામાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન બિરાજમાન છે. અહીં કુલ ૧૧ પાષાણ પ્રતિમાઓ અને ૪૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
દાદર ચઢતાં જમણી બાજુ દિવાલ ઉપર આરસમાં નીચે મુજબનો લેખ છે.
॥ શ્રી ચંદ્રપ્રભ સ્વામિને નમઃ ।।
॥ શ્રી આત્મવલ્લભ સમુદ્ર સદ્ગુરુભ્યો નમઃ ॥
“અમદાવાદ નિવાસી શેઠ શ્રી શાંતિદાસના વંશપરંપરામાં પાંચમી પેઢીએ અમદાવાદ નિવાસી શેઠ શ્રી ડાહ્યાભાઈ દીપચંદભાઈએ વડોદરા સુલતાનપુરામાં નિવાસ કરીને જૈન દેરાસર બંધાવી મહાન તીર્થ તળાજાથી શ્રી ચંદ્રપ્રભસ્વામીજીની પ્રતિમા લાવીને આ દેરાસરમાં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠા કરી. આ પરિવારના વારસદાર શ્રીમતી પોપટબેનના સુપુત્ર ઝવેરચંદ કેસરીચંદ