SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ વડોદરાનાં જિનાલયો ઐતિહાસિક સંદર્ભ સંવત ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. ૬ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સ્વરૂપચંદ ગરબડદાસે આ દેરાસર બંધાવ્યાની નોંધ પ્રાપ્ત થાય છે. (૨૨) શ્રી શાંતિનાથ ગૃહ ચૈત્ય એમ. જી. રોડ, મોટા દેરાસરની બાજુમાં. મહાત્મા ગાંધી રોડ પર, મોટા દેરાસરની બાજુમાં શ્રી જમનાદાસ કેશવલાલ ચુડગરના મકાનના ત્રીજા માળે આ ઘરદેરાસર આવેલ છે. કાષ્ઠની કોતરણીયુકત, શિખરની રચનાવાળી છત્રીમાં શ્રી શાંતિનાથ ભગવાનની ૩" ની ચાંદીના પરિકર સહિતની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૫ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે તથા શ્રી પાર્શ્વનાથ યક્ષની કસોટીના પત્થરમાંથી બનેલ શ્યામ રંગની મૂર્તિ છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબ લેખ કોતરવામાં આવ્યો છે. ‘સંવત ૧૬૧૫ વર્ષે પોષ વદી ૬ શુક્ર ભીલાઈ શ્રી શાંતિનાથ બિંબ શ્રી વિજયસેનસૂરિભિઃ ' દેરાસરની વર્ષગાંઠ તિથિ માગશર વદ ૧૦ છે. દેરાસરનો વહીવટ ટ્રસ્ટી શ્રી ગાંડાલાલ જમનાદાસ ચુડગર હસ્તક છે. તેઓના જણાવ્યા મુજબ આ દેરાસર આશરે ૧૩૦ વર્ષ જેટલું પ્રાચીન છે. ઐતિહાસિક સંદર્ભ સંવત ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. ૫ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી જમનાદાસ કેશવલાલ ચુડગરે આ દેરાસર બંધાવ્યાની નોંધ છે. (૨૩) શ્રી શાંતિનાથ ગૃહ ચૈત્ય સારણેશ્વર મહાદેવનો ખાંચો, એમ. જી. રોડ. મહાત્મા ગાંધી રોડ ૫૨, સારણેશ્વર મહાદેવના ખાંચામાં શ્રી જયંતિલાલ જમનાદાસ ચૂડગરના મકાનમાં સુંદર ઘરદેરાસર બનાવવામાં આવ્યું છે. મુખ્ય પ્રવેશદ્વારની બે બાજુ બે દ્વારપાળની કૃતિઓ છે. રંગમંડપમાં ઘુમ્મટના ભાગમાં શ્રી શાંતિનાથ ભગવાનના ૧૦ ભવ તથા ૧૪ સ્વપ્નો ચિત્રિત કરેલા જોવા મળે છે. સુંદર કમાનો
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy