________________
વડોદરાનાં જિનાલયો
૩૭
“તપાગચ્છાધિપતિ પૂજયપાદ ૧૦૦૮ મુક્તિવિજયજી (અમરનામ મૂલચંદજી) ગણિ પટ્ટાલંકાર બાલબ્રહ્મચારી શાંતમૂર્તિ ૧૦૦૮ આચાર્ય વિજયકમલસૂરીશ્વરજી મહારાજના પટ પ્રભાવક પૂ. શાસન પ્રભાવક ૧૦૦૮ આચાર્ય શ્રીમાન મોહનસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેઓશ્રીના શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજયધર્મસૂરિ મહારાજના સદુપદેશથી રકમ મળેલ છે. ”
| જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૧૯૮૦માં થયો છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ શ્રાવણ સુદ ૮ છે.
દેરાસરનો વહીવટ “શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન દેરાસર સંઘ” હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી શ્રી પન્નાલાલ શાહ, શ્રી નંદલાલ શાહ, શ્રી પ્રવીણભાઈ શાહ છે.
ઐતિહાસિક સંદર્ભ સંવત ૧૯૬૩ જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. અહીં ૮ પાષાણ પ્રતિમાઓ તથા ૧૮ ધાતુ પ્રતિમાઓ હતી.
સંવત ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. ૬ પાષાણ પ્રતિમાઓ તથા ૭ ધાતુ પ્રતિમાઓ હતી. શેઠ શ્રી મોતીલાલ તારાચંદે આ દેરાસર બંધાવ્યાની નોંધ છે.
સંવત ૨૦૩૦માં શ્રી રાવપુરા મામાની પોળ જૈન શ્વે. મૂ. પૂ. સંઘ, વડોદરા દ્વારા પ્રકાશિત “જૈન તીર્થ પરિચય” નામના પુસ્તકમાં શ્રી ગોડી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સંવત ૧૫૪૮ના વૈશાખ માસમાં થયાનું નોંધાયું છે. વળી, બીજા ગભારામાં શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિષ્ઠા સં. ૧૯૩૩માં થયાનો ઉલ્લેખ છે.
(૧૯) શ્રી શાંતિનાથ જિનાલય (સં. ૧૯૬૩ પૂર્વે).
કોઠી પોળ, રાવપુરા. કોઠી પોળમાં રોડ પર આવેલી પૌષધ શાળાની નજીક આ દેરાસર આવેલ છે. વિશાળ જગ્યા ધરાવતા આ દેરાસરમાં પ્રવેશતાં ડાબી બાજુએ પેઢીની ઑફિસ અને જમણી બાજુએ ખુલ્લો રંગમંડપ છે જેમાં સામરણયુકત ત્રણ દ્વારવાળી દેવકુલિકામાં શ્રી પદ્માવતી દેવી, શ્રી લક્ષ્મી દેવી તથા શ્રી સરસ્વતી દેવીની આરસની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. ઘુમ્મટયુકત કાચના દ્વારવાળા કબાટમાં આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા.ના હાથમાં સંયમના ઉપકરણો સહિત ઊભી ગુરુમૂર્તિ છે.
દેવીઓની મૂર્તિની સ્થાપના સં. ૨૦૪૨ અને ગુરુમૂર્તિની સ્થાપના સં. ૨૦૪૭માં થયેલી છે. આગળ જતાં રંગમંડપમાં પ્રવેશ માટેનું એક દ્વાર છે. દ્વારની જમણી-ડાબી બાજુ શ્રીપાલ અને મયણા સુંદરીની શિલ્પાકૃતિ બનાવવામાં આવી છે જે પ્રણામ કરતાં ઊભેલી મુદ્રામાં છે. ઉપરના