SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ઉપર્યુક્ત આધારોથી આ જિનાલયનો સમય સં. ૧૮૯૬નો નક્કી થાય ...છે અને સં. ૧૯૦૪માં જીર્ણોદ્ધાર કરાવ્યો હશે એવું અમારું અનુમાન છે. ૩૫ (૧૭) શ્રી મહાવીરસ્વામી જિનાલય (સંવત ૧૯૯૦ પૂર્વે) મામાની પોળ, રાવપુરા. મામાની પોળમાં પ્રવેશતાં ડાબી બાજુ, બે માળનું એક શિખરબંધી દેરાસર આવેલું છે. જિનાલયનાં પ્રવેશદ્વારની જમણી બાજુ ગોખમાં શ્રી માણિભદ્રવીરની પ્રતિમા સ્થાપિત કરેલ છે. રંગમંડપમાં પ્રવેશ કરતાં જમણી બાજુ અને ડાબી બાજુ શેઠ છગનલાલનાં ધર્મપત્ની બાઈ ચંચલની નાની મૂર્તિ છે. રંગમંડપમાં દિવાલમાં ઉપરના ભાગમાં ફરતે શ્રી મહાવીરસ્વામી ભગવાનના ૨૬ ભવ, શ્રી અષ્ટાપદ તીર્થ, શ્રી સમેતશિખર તીર્થ, શ્રી ગિરનાર તીર્થ, શ્રી પાવાપુરી તીર્થ અને શ્રી ચંપાપુરી તીર્થના પટ છે. વળી શ્રી મહાવીરસ્વામી ભગવાનના છેલ્લા ભવના પાંચ કલ્યાણકની ઉજવણીનો તથા શ્રી શત્રુંજયનો આરસનો કોતરણીવાળો રંગીન પટ છે. ગોખલામાં શ્રી ગૌતમસ્વામી અને શ્રી સુધર્માસ્વામીની આરસ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. ચાંદીથી મઢેલા સુંદર ગર્ભદ્વા૨વાળા તથા કાચકામથી સુશોભિત ગભારામાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની ૧૯" ની પ્રતિમા બિરાજમાન છે. દેરાસરમાં કુલ ૧૧ પાષાણ પ્રતિમાઓ અને ૧૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. ઉપરાંત ધાતુની કમળ પાંદડીમાં નવપદયંત્ર છે તેમાં વચ્ચે અહિત પદના સ્થાને પ" ચૌમુખી પ્રતિમા છે. મૂળનાયક ભગવાનની જમણી બાજુ શ્રી આદિનાથ ભગવાન તથા ડાબી બાજુ શ્રી અજિતનાથ ભગવાન બિરાજમાન છે. દેરાસરમાં પ્રદક્ષિણા ફરી શકાય તેવી ભમતીની જગ્યા છે. શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિની નીચેના ભાગમાં આ પ્રમાણે લેખ છે. વડોદરા મામાની પોળના રહીશ શ્રીમાન શેઠ લાલભાઈ છગનલાલ તરફથી તેમના પૂજય પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રીમાન શેઠ છગનલાલ મનસુખરામના પુણ્ય સ્મરણાર્થે મામાની પોળના શ્રી મહાવીરસ્વામીના દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેની પ્રતિષ્ઠા તેમના તરફથી વિ. સં. ૧૯૯૦ના બીજા વૈશાખ સુદી ૧૦ ને ગુરુવાર ઈ. સ. ૧૯૩૪ મે માસની તા. ૨૪ના દિવસે થઈ છે. જિનાલયના ઉપરના ભાગે શિખરમાં નાનો ગભારો છે તેમાં ઊંચી પાળી પર નાના ઘુમ્મટની રચના છે. અહીં પ" ની પ્રતિમા બિરાજમાન છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૦ ના રોજ છે. તે દિવસે પ્રતિવર્ષ શેઠ શ્રી લાલભાઈ છગનલાલ પરીખ પરિવાર દ્વારા ધ્વજારોપણ મહોત્સવ થાય છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy