________________
વડોદરાનાં જિનાલયો
( ૨ ) સં. ૧૮૭૮ના માઘ સુદી. . . . . . . . . . . . ચંદ્રવાસરે પં. રૂપવિજય પાદુકા
(૩) સં. ૧૮૫૧ વૈશાખ સુદી ૬ (૧) હંસવિજયગણિ (૨) મુ(સુ)જાણવિજયગણિ (૪) સં. ૧૮૭૨ના વૈશાખ. . . . . . . . . . . . . • • •
પ્રવેશદ્વારમાં પ્રવેશતાં ડાબી બાજુ મોટી જગ્યામાં મોટા ત્રિગઢ ઉપર ચાર થાંભલીઓવાળ ઘુમ્મટની નીચે આરસની ચૌમુખી પ્રતિમા બિરાજમાન છે. ચૌમુખજીમાં શ્રી અજિતનાથ ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રી વાસુપૂજયસ્વામી તથા શ્રી વિમળનાથ ભગવાનની ૧૩" ની પ્રતિમાઓ બિરાજમાન છે. દરેક પ્રતિમાની નીચે મૂર્તિલેખ છે તે નીચે મુજબ છે.
(૧) શ્રી અજિતનાથ સં. ૧૯૦૩ શાકે ૧૭૬૮ પ્રથમ માઘ શુકલ પાંચ તીથી ભૂગુવાસરે અહમદાબાદ વાસ્તવ્ય શ્રીમાળી જ્ઞાતીય લઘુ શાખાયા પ્રેમચંદ તત્ ભાર્યા શ્રી કૂલીબાઈ. . . .
(૨) શ્રી અનંતધર્મ આદિનાથ, ઉપર પ્રમાણે જ લેખ છે. સં. ૧૯૦૩..... (૩) શ્રી વાસુપૂજય ૧૯૦૩
(૪) શ્રી વિમળનાથઃ સં. ૧૯૦૩ શાકે ૧૭૬૮ માઘ શુકલ પાંચમ ભૃગુવાસરે અહમદાબાદ નગરે.
આખા દેરાસરમાં ફરતે સુંદર કાચકામ છે, જેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના દશ ભવ ચિત્રિત કરવામાં આવ્યા છે. વળી શ્રીપાળ ચરિત્રનો આરસમાં ઉપસાવેલ પટ છે. દેરાસરમાં શ્રી ગિરનાર તીર્થ, શ્રી આબુ તીર્થ, શ્રી શત્રુંજય તીર્થ અને શ્રી સમવસરણની રચનાઓનો પટ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં પણ સુંદર કાચકામ કરવામાં આવ્યું છે. અહીં મૂળનાયક શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાનની ૧૩" ની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. દેરાસરમાં કુલ ૧૨ પાષાણ પ્રતિમાઓ, ૨૦ ધાતુ પ્રતિમાઓ અને ૮ જોડ પગલાં બિરાજમાન છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહાસુદ ૧૩ છે. ટ્રસ્ટી વકીલ રમણલાલ પરીખ, જયંતીલાલ શાહ, પ્રવીણચંદ્ર શેઠ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩ જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે થયો છે. ૧૧ પાષાણ પ્રતિમાઓ તથા ૧૬ ધાતુ પ્રતિમાઓ હતી. દેરાસરની સ્થાપના સંવત ૧૯૦૪ નોંધાયેલ છે.
સં. ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૧૫ પાષાણ પ્રતિમાઓ તથા ૨૩ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે ૧૮૯૩માં આ દેરાસર બંધાવ્યાની નોંધ છે.