________________
૩૧
વડોદરાનાં જિનાલયો
(૧૪) શ્રી આદિનાથ જિનાલય (સંવત ૨૦૦૨)
ઊંચી પોળ, પાંજરાપોળ, રાજમહેલ રોડ. પાંજરાપોળ, ઊંચીપોળમાં 200 વર્ષ જુની દાદાવાડીમાં આ દેરાસર આવેલ છે.
નાના ગોખલામાં, કાચના કબાટમાં આરસની ઓટલી પર મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની ૫" ની પ્રતિમા પરોણાગત બિરાજમાન છે. અહીં કુલ ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
વિ. સં. ૨૦૦૨માં મહાસુદ પાંચમના રોજ આચાર્ય શ્રી ઇન્દ્રજિતસૂરીશ્વરની નિશ્રામાં દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવવામાં આવી છે. મૂળનાયક તરીકે જે પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે પ્રતિમા ચોરાઈ જવાથી પાવાગઢથી સંવત ૨૦૨૮માં ભરાવેલાં પ્રતિમાજી હાલ પરોણા દાખલ કરેલ છે.
ભગવાનની આગળ આરસનું પબાસન બનાવી ત્રણ ઘુમ્મટ બનાવ્યા છે. જેમાં શ્રી જિનદત્ત દૂર, શ્રી જિનકુશલસૂરિ તથા શ્રી મોહનલાલજીની ચરણ પાદુકાઓ છે. આ જગ્યાને દાદાવાડી તરીકે ઓળખવામાં આવે છે. આ પગલાં પરના આકારના ઘુમ્મટ પર વિશિષ્ટ એવી શ્રી જિનકુશલસૂરિની પાદુકા પરનું લખાણ નીચે મુજબ છે. -
સંવત ૧૮૨૯ શાકે ૧૬૯૩ વૈશાખ સુદી ૧૨ શ્રી કેશવવંશ શ્રી. . . . . . . . . શ્રી જિનકુશલસૂરિ પાદુકા.”
શ્રી જિનદત્તસૂરિની પાદુકા પરનું લખાણ નીચે મુજબ છે.
સંવત ૧૮૨૭ શાકે ૧૬૯૩ વૈશાખ સુદી ૧૨ શ્રી કેશવવંશ શ્રી સ્વરૂપચંદ. . . . શ્રી જિનદત્તસૂરિ પાદુકો. ”
દેરાસરમાં બંને બાજુએ દિવાલ પર શ્રી જિનદત્તસૂરિજી દ્વારા નવકારમંત્રના પ્રભાવથી લોકમાં કરેલ ચમત્કારના પ્રસંગોના ફોટા લગાડવામાં આવ્યા છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૫ છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમા તેમજ ચૈત્રી પૂર્ણિમાને દિવસે શ્રી સંઘ દર્શનાર્થે આવે છે.
દેરાસરનો વહીવટ આત્માનંદ જૈન સંઘ હસ્તક છે. ટ્રસ્ટી શ્રી રસીકલાલ શાહ, શ્રી જયંતિલાલ શાહ અને શ્રી ઉમાકાન્ત શાહ છે.
આ જિનાલયનો નિર્માણ સમય વિ. સં. ૨૦૦૨નો છે.