________________
૩૦
વડોદરાનાં જિનાલયો
શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનાં પ્રતિમાજી ટ્રકમાં લાવી અત્રે મૂકી ગયા હતા. ટ્રસ્ટીઓ પોતાના કુટુંબ સહિત પાવાગઢ છોડી કપડવંજમાં સ્થાયી થયા હતા. અને શ્રી “ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનું ખાતું ચાલે છે એમ જણાવી આર્થિક સહાય કરી હતી. વળી, પ્રભુજીનાં સિંહાસન, મુગટ, બાજુબંધ, હંસ વગેરે આભૂષણો પણ આપી ગયા હતા. આ પ્રતિમાજી હાલ મૂળનાયક ભગવાન શ્રી દાદા પાર્શ્વનાથ ભગવાનની જમણી બાજુ બિરાજમાન છે તેમજ શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા સંવત ૧૯૯૮માં શેઠ શ્રી લાલભાઈ કલ્યાણભાઈ ઝવેરીનાં માતુશ્રી ગંગાબાના હસ્તે ઉપર દેવકુલિકામાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહાસુદ-૧૩ છે. તે નિમિત્તે શેઠ શ્રી ફતેહચંદ ઝવેરી પરિવાર દ્વારા દર વર્ષે ધ્વજા બદલવામાં આવે છે તથા પ્રભાવના કરવામાં આવે છે.
આ ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. કુલ ૪૪ પાષાણ પ્રતિમાઓ તથા ૮૨ ધાતુ પ્રતિમાઓ હતી.
સં. ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. કુલ ૪૦ પાષાણ પ્રતિમાઓ તથા ૧૧૧ ધાતુ પ્રતિમાઓ હતી.
આ જિનાલયનો સમય સંવત ૧૯૬૩ પૂર્વેનો છે. નિશ્ચિત સમય નક્કી કરવા વધુ સંશોધનની જરૂર છે. સંવત ૧૯૯૮માં જીર્ણોદ્ધાર થયેલ છે.
(૧૩) શ્રી આદિનાથ ગૃહ ચૈત્ય (સંવત ૨૦૨૫).
સારણેશ્વર મહાદેવનો ખાંચો, નરસિંહજીની પોળ. નરસિંહજીની પોળમાં આવેલ સારણેશ્વર મહાદેવના મંદિરની સામે શ્રી નગીનદાસ મણિલાલ ચુડગરના ઘરમાં ત્રીજે માળે નાનું ઘરદેરાસર આવેલું છે.
જર્મન સિલ્વરના બારીબારણાં તથા નાના શિખરયુકત આ દેરાસરમાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની પ" ની પ્રતિમા બિરાજમાન છે.
દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૨૦૨૫ના માગશર સુદ ૬ ને સોમવાર તા. ૨૫-૧૧-૬૮ના રોજ આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી તેમજ આચાર્ય શ્રી અમૃતસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં કુલ ૩ ધાતુ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.
આ જિનાલયનો નિર્માણ સમય સંવત ૨૦૨૫નો છે.