________________
વડોદરાનાં જિનાલયો
(૧૦) શ્રી શાંતિનાથ ગૃહ ચૈત્ય
દલા પટેલની પોળ, નરસિંહજીની પોળ. દલા પટેલની પોળની ગલીમાં પ્રવેશતાં જ ડાબા હાથે મકાનમાં ત્રીજા માળે આ ઘરદેરાસર આવેલ છે.
નાની દેરીમાં નીચેના ભાગમાં ૧૪ સ્વપ્ન છે. ભગવાનની પાછળ સૂર્ય, ચંદ્ર, ચામર ઢોળતાં બે ઇંદ્રો અને દેવદુંદુભિ વગાડતા બીજા બે દેવોની આકૃતિઓ છે. ચાંદીના સિંહાસન ઉપર, ચાંદીની સુંદર છત્રીમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૩" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમામાં નીચે મુજબનો લેખ કોતરવામાં આવ્યો છે.
“સં. ૧૫૦૮ વર્ષે અષાઢ સુદ ૨ રવી શ્રી શ્રીમાલ જ્ઞાતીય મ. કાજી ભાર્યા. રાજુ સુત મ. રાજકેતભા મલ્હાસુત વીરપાલ પ્રમુખ કુટુંબયુએન માતા પિતૃ શ્રેયસે સ્વ. શ્રેયસે ચ. શ્રી આગમગચ્છ શ્રી દેવરત્નસૂરીણામુપદેશેન શ્રી શાંતિનાથાદિ ચતુર્વિશતિ પટ્ટાકારિતઃ પ્રતિષ્ઠાપિતશ્ચ !! શ્રી શુભમ્ !!”
બાજુમાં એક કબાટમાં કાષ્ઠના બે પાર્શ્વયક્ષ જે વજનમાં એટલા હલકા છે કે જાણે હાથમાં કાગળ ઊંચક્યો હોય તેવું લાગે છે અને એક દેવમૂર્તિ છે.
દેરાસરની ચારેબાજુ ફરતી દિવાલ પર સાધુ-ભગવંતો, તીર્થો, ભગવાનો, નવપદજી, ચિંતામણી યંત્ર, શ્રી આત્મારામજી મ. સા. વગેરેના ફોટા છે.
આ દેરાસરમાં પૂર્વે જ પ્રતિમાજીઓ હતાં. તેમાંથી બે સ્ફટીકનાં પ્રતિમાજી ચૌટાવાડના શ્રી આદિનાથ જિનાલયમાં તેમજ શ્રી આદિનાથ અને શ્રી મહાવીરસ્વામી એમ બે પ્રતિમાજી નગીનભાઈ ચુડગરને ત્યાં સ્થાપિત કરવામાં આવેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ વદ ૮ છે. દેરાસરનો વહીવટ ટ્રસ્ટ હસ્તક છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. અહીં ૨ ધાતુ પ્રતિમાઓ અને ૨ સ્ફટીક પ્રતિમાઓ હતી. વૈદ્ય જમનાદાસ ચુનીલાલે આ દેરાસર બંધાવ્યાની નોંધ છે.