________________
૨૩
વડોદરાનાં જિનાલયો
જર્મન- સિલ્વરથી મઢેલ ત્રણ પ્રવેશદ્વારવાળા ચોરસાકાર રંગમંડપમાં પ્રવેશતાં તુરંત ગોખલામાં શેઠ શ્રી રાયચંદ ભાઈ અને શેઠાણી પ્રદાન બાઈની મૂર્તિઓ મૂકેલ છે. સુંદર જિનાલય તેઓએ બંધાવ્યું હતું. દિવાલ પર શ્રી શંત્રુજય તીર્થ અને શ્રી ગિરનાર તીર્થનો પટ ફેઈમમાં છે. વળી શ્રી સમેતશિખરજી તીર્થનો પટ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની ૧૭"ની પ્રતિમા બિરાજમાન છે. ડાબી બાજુ શ્રી શાંતિનાથ ભગવાન અને જમણી બાજુ શ્રી મહાવીરસ્વામી ભગવાન બિરાજમાન છે. ત્રણેય પ્રતિમા પંચધાતુની બનેલી છે. અહીં કુલ ૧૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
- ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૧૦ ધાતુ પ્રતિમાઓ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. અહીં ૪ ધાતુ પ્રતિમાઓ હતી. આ દેરાસર શેઠ લીલાચંદ રાયચંદે બંધાવ્યાની તેમાં નોંધ છે.
આ જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો છે. નિશ્ચિત સમય નક્કી કરવા વધુ સંશોધનની જરૂર છે.
(૭) શ્રી ચંદ્રપ્રભસ્વામી જિનાલય (સંવત ૧૯૦૦)
જાની શેરી, ઘડિયાળી પોળ. ઘડિયાળી પોળમાં, જાની શેરીમાં એક માળનું શિખરબંધી જિનાલય આવેલ છે. એક જ પરિસરમાં બે દેરાસર છે. એક દેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું અને બીજું શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનનું છે.
મુખ્ય પ્રવેશદ્વારની ત્રણ બાજુ, ત્રણ દ્વારથી રંગમંડપમાં જવાય છે. જયાં સોનેરી રંગની સુંદર પૂતળીઓથી સુશોભિત તથા આસમાની રંગના તોરણોથી જોડાયેલ સ્તંભો છે. ઘુમ્મટમાં પણ સુંદર પૂતળીઓ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીની ૧૯"ની પ્રતિમા બિરાજમાન છે. ગભારામાં ૫ અને રંગમંડપમાં ૩ એમ કુલ ૮ પાષાણ પ્રતિમાઓ અને ૨૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. એક ગુરુમંદિરમાં ગુરુપાદુકા છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૩ના રોજ છે. તે નિમિત્તે જમણવાર થાય છે.
દેરાસરનો વહીવટ ટ્રસ્ટ હસ્તક છે. ટ્રસ્ટી પન્નાલાલ વૈદ્ય, હરીશભાઈ વૈદ્ય અને કુસુમબેન વૈદ્ય છે.