SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨. વડોદરાનાં જિનાલયો (૫) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય (સંવત ૧૯૬૩ પૂર્વે)' પીપળા શેરી, ઘડિયાળી પોળ. ઘડિયાળી પોળમાં, પીપળા શેરીમાં ત્રણ શિખરયુકત દેરાસર આવેલું છે. ત્રણ ગર્ભદ્વારવાળા ગભારા મધ્ય મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ૧૯"ની પ્રતિમા બિરાજમાન છે. ડાબા ગભારે શ્રી મહાવીર સ્વામી ભગવાન અને જમણા ગભારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે. અહીં કુલ ૧૬ પાષાણપ્રતિમાઓ અને ૨૮ ધાતુપ્રતિમાઓ જેમાં ૧ ચાંદીનાં પ્રતિમાજી બિરાજમાન છે. દેરાસરમાં ભોંયરું છે પરંતુ ત્યાં કોઈ પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી નથી, માત્ર શ્રી શત્રુંજય તીર્થનો પટ છે. ખોદકામ કરતાં ભોંયરામાંથી વેળુનાં લેપમય પ્રતિમાજી પ્રાપ્ત થયાં હતાં પરંતુ ટ્રસ્ટીના જણાવ્યાનુસાર કાવીના દરિયામાં પધરાવી દીધેલ છે. ' દેરાસરનો જીર્ણોદ્વાર પૂર્ણ થયા બાદ વિ. સં. ૨૦૫૯ના મહા સુદ ૬ના દિવસે મૂળનાયક ભગવાનની પુન:પ્રતિષ્ઠા પૂ. આચાર્ય શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શેઠ શાંતીલાલ નગીનદાસ શાહના હસ્તક કરવામાં આવેલ, સંઘે કરેલા નિયમ મુજબ પ્રથમ ત્રણ વર્ષ તેઓ ધ્વજા ચઢાવશે ત્યારબાદ ચઢાવો બોલી ધ્વજારોપણ થશે. દેરાસરનો વહીવટ “શ્રી ચિંતામણી ભગવાન દેરાસર ટ્રસ્ટ” હસ્તક છે. ટ્રસ્ટી શાહ ચંપકલાલ રંગીલદાસ, શાહ જયંતીલાલ નગીનદાસ અને શાહ શશિકાન્ત ત્રિભોવનદાસ છે. ઐતિહાસિક સંદર્ભ સંવત ૧૯૬૩માં શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૧૦ પાષાણ પ્રતિમાઓ અને ૧૮ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે દેરાસર બંધાવ્યાની નોંધ છે. સંવત ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટ બંધી તરીકે થયો છે. તેમાં જણાવ્યા મુજબ ૧૧ પાષાણ પ્રતિમાઓ તથા ૨૮ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે દેરાસર બંધાવ્યાની નોંધ છે. આ જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો છે. નિશ્ચિત સમય નક્કી કરવા વધુ સંશોધનની જરૂર છે. (૬) શ્રી કુંથુનાથ જિનાલય (સંવત ૧૯૬૩ પૂર્વે ) શાક માર્કેટ, ઘડિયાળી પોળ. ઘડિયાળી પોળના બહારના ભાગમાં ઘુમ્મટબંધી સુંદર જિનાલય આવેલ છે. જિનાલયના બહારના ભાગમાં ઉપરની દિવાલ પર સુંદર પુતળીઓ છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy