________________
વડોદરાનાં જિનાલયો
કબાટને પાછુ યોગ્ય સ્થાને ગોઠવવામાં આવે છે. મૂળનાયક તરીકે શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. અહીં એક ગુરુપાદુકા પણ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ કોતરવામાં આવ્યો છે.
૨૧
“સંવત ૧૫૩૫ મહા સુદિ ૨ ને સોમવાર શ્રી શ્રીમાલી જ્ઞાતીય શ્રે. લાલા કેશવરામા લાલા ભા. લલતા દે સુત સાર્જિંગ હાપ્પા ભાર્યા સરિયાદિ પ્રતિત્તમાત્ર પ્રતિષ્ઠિત શ્રી કુંથુનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી બ્રહ્માણગચ્છીય શ્રી વીર સૂરિભિઃ.
વાસ્તવ્યઃ
શ્રી શ્રી શ્રી. ’’
દેરાસરની વર્ષગાંઠ તિથિ માગશર વદ ૨ છે. તે દિવસે દર વર્ષે દેરાસરમાં પૂજા ભણાવવામાં આવે છે. દેરાસરનો વહીવટ શ્રી હરેશભાઈ જયંતિલાલ શાહ કરે છે. તેઓના જણાવ્યા મુજબ આ દેરાસર ૧૦૦ વર્ષ જેટલું પ્રાચીન છે.
( ૪ ) શ્રી ચંદ્રપ્રભસ્વામી ગૃહ ચૈત્ય
દેસાઈ શે૨ી, ઘડિયાળી પોળ.
ઘડિયાળી પોળમાં દેસાઈ શેરીમાં ધાબાબંધી ઘરદેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વા૨વાળા ગભારામાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીની ૩" ની પ્રતિમા બિરાજમાન છે. અન્ય ૪ ધાતુપ્રતિમાજી અને પાંચ નવપદજી યંત્રો બિરાજમાન છે. મકાનમાં ત્રીજા માળે નાનું ચાંદીનું દેરાસર છે. સિંહાસનના પગથિયા પર ૧૪ સ્વપ્ન ચીતરેલાં છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા ઉપ૨ ‘સંવત ૧૬૯૩ મહા વદી- ૧૨ .
,,
લેખ વંચાય છે.
દેરાસરની વર્ષગાંઠ વૈશાખ સુદ ૭ છે. તે દિવસે દ૨ વર્ષે પૂજા ભણાવાય છે. દેરાસરનો વહીવટ શ્રી બિપિનભાઈ ડાહ્યાભાઈ શાહ હસ્તક છે. તેઓના જણાવ્યા મુજબ આ દેરાસર ૧૨૫ વર્ષ જેટલું પ્રાચીન છે.
ઐતિહાસિક સંદર્ભ
સંવત ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. આમાં ૭ ધાતુ પ્રતિમાઓ હતી. આ ઘરદેરાસર શ્રી દલપતભાઈ જગજીવનદાસે બંધાવ્યું હોવાની નોંધ છે.